April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપી દમણગંગા નદી કિનારે આસ્‍થા સાથે ભવ્‍ય છઠ્ઠ પૂજા પ્રારંભ : બે દિવસ ઉજવણી થશે

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા નદી ઘાટ ઉપર પ્રાથમિક
સેવા-સુવિધાઓ ઉભી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપીમાં આવતીકાલે ગુરૂવારથી દમણગંગા નદી કિનારે બે દિવસીય છઠ્ઠ પૂજાનો આસ્‍થા સાથે પ્રારંભ થશે. છઠ્ઠ પૂજા માટે બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા દમણગંગા ઘાટ ઉપર સંપૂર્ણ જરૂરી પ્રાથમિક સેવા સુવિધાઓનું આયોજન કર્યું છે.
ભારતવર્ષમાં અનેક પર્વ તહેવારોની ઉજવણી થાય છે. તેવા તહેવાર પૈકીનો કાસ કરીને ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજા પર્વની આસ્‍થા પૂર્વક ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. ભગવાન સૂર્ય દેવ અને તેમની બહેન છઠ્ઠી મૈયાને સમર્પિત છઠ્ઠ પૂજા પર્વ ઉજવાય છે. દેશભરમાં જ્‍યાં જ્‍યાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે ત્‍યાં ત્‍યાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરે છે. આ વર્ષે વાપી-દમણ-સેલવાસ વિસ્‍તારમાં તા.7/11 ગુરૂવારે 3 વાગ્‍યાથી છઠ્ઠ પૂજાનો પ્રારંભ થશે. સ્‍વયં કાલીન અર્ક ચઢાવવામાં આવશે. બીજા દિવસે તા.8/11 શુક્રવારે સવારે 6 કલાકે ઉગતા સૂર્યનારાયણ દેવને અર્ક સમર્પિત કરવામાં આવશે. ત્રણ દિવસીય ચાલતાછઠ્ઠ પર્વની ઉજવણી દરમિયાન મહિલાઓ 36 કલાક નિર્જલાનું કઠણ તપ આરાધના કરે છે. વાપીમાં દમણગંગા નદી કિનારે છઠ્ઠ પૂજાની ઉજવણીની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદી કિનારે પર્યાપ્ત જરૂરી સેવા-સુવિધા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. પ્રત્‍યેક છઠ્ઠ પર્વની ઉજવણી સાથે એસોસિએશન અનેક સામાજીક સેવા કાર્ય પણ કરે છે. એસોસિએશન દ્વારા ભવ્‍ય સરસ્‍વતિ પૂજાનો કાર્યક્રમ પણ પ્રતિવર્ષે કરવામાં આવે છે.

Related posts

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

દમણ ન.પા.એ કોવિડ-19ના આંશિક લોકડાઉનના પગલે એપ્રિલ અને મે મહિનાનું દમણ મ્‍યુનિસિપલ માર્કેટનું ભાડૂ નહીં લેવા કરેલો નિર્ણય

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજે ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યું

vartmanpravah

દાદરા ગામે કંપનીનો ગેટ પડતા વોચમેનનું કરુણ મોત

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસવાપીના બીબીએ વિભાગમાં ગોલ્‍ડ મેડલ

vartmanpravah

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

vartmanpravah

Leave a Comment