August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

જીવન ઘડતરનાં પાયાના વર્ષોમાં ગુણવતાયુક્‍ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચર્ચા થઈ

બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજજ્‍વળ ભવિષ્‍ય માટે વાલીઓ સાથે સંવાદોત્‍સવ ખુબ જ જરૂરી

વેસ્‍ટમાંથી બેસ્‍ટ ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવી તેનું નિદર્શન પણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ હેઠળ ભૂલકા મેળો-2024 યોજાયો હતો. મોટીવેશનલ સ્‍પીકર ગૌરાંગભાઈ પટેલે જિલ્લાનાં વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.
વલસાડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટેના પ્રોજેક્‍ટ ‘‘પા પા પગલી” અંતર્ગત આંગણવાડીનાં 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્‍યાને રાખી ‘‘શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” રૂપે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા કક્ષાનાં ભૂલકાં મેળાનાં કાર્યક્રમમાં વલસાડ જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખબ્રિજનાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિનાં અધ્‍યક્ષ દિવ્‍યાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્‍ય શૈલેશભાઈ પટેલ, મોટીવેશનલ સ્‍પીકર ગૌરાંગભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં આંગણવાડીમાં આવતા નાના-નાના ભૂલકાંઓનાં જીવનમાં મહત્‍વનાં અને અમૂલ્‍ય એવાં જીવન ઘડતરનાં પાયાના વર્ષોમાં ગુણવતાયુક્‍ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. બાળકોમાં રહેલી આંતરિક શકિતઓને બહાર લાવી તેમને સક્ષમ સાહસિક બનાવવા માટે આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો અને ‘‘પા પા પગલી” યોજના અંતર્ગત કાર્યરત પ્રિ-સ્‍કૂલ ઇન્‍સ્‍ટ્રકટરોને વિશેષ ફાળો છે. બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજજ્‍વળ ભવિષ્‍ય માટે વાલીઓ સાથે સંવાદોત્‍સવ ખુબ જ જરૂરી છે.
મોટીવેશનલ વક્‍તા ગૌરાંગભાઈ પટેલ દ્વારા ખૂબ જ સરસ અને જાગૃતિસભર સંવાદ સાધી પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્‍ય વિશે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દરેક પ્રિ-સ્‍કૂલ ઇન્‍સ્‍ટ્રક્‍ટર દ્વારા અભ્‍યાસક્રમ અને સંકલ્‍પના આધારિત જે સરળતાથી પ્રાપ્ત અને વેસ્‍ટમાંથી બેસ્‍ટ એવાં ટીએલએમ (ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું અને તેમનું શિક્ષણ વિભાગમાંથી આવેલી નિર્ણાયક કમિટી દ્વારા માર્કિંગ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમાંક આપવામાં આવ્‍યો હતો જેમાં વલસાડ ઘટક-2 પ્રથમ ક્રમે, ઉમરગામ ઘટક-1 દ્વિતીય ક્રમે અને વાપી ઘટક-2 તૃતીય ક્રમે વિજેતા થયા હતા. આંગણવાડીના નાના-નાના ભૂલકાઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો. જિલ્લા કક્ષાનાં આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રિ-સ્‍કૂલ ઇન્‍સ્‍ટ્રક્‍ટર રૂપાલી પાટીલ દ્વારા પ્રોગ્રામ ઓફિસર નીલમબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે યુવા હિન્દુ સંમેલનનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપમાં વિજેતા ખેલાડીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

Leave a Comment