April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્‍ચે ચીખલી સહિત નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતા

ઠંડીથી આંબાવાડીમાં ફૂટ શરૂ થઈ ગઈ હતી તેવામાં જ વાદળછાયા વાતાવરણ બાદ માવઠું આવશે તો સીઝનની શરૂઆત જ ખરાબ રહેવાની શકયતા વર્તાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.23: હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્‍ચે છેલ્લા બે દિવસથી ચીખલી સહિત જિલ્લામાં સમગ્ર વિસ્‍તારમાં વાદળો છવાઈ રહ્યા છે અને આ વાદળછાયા વાતાવરણથી કેરી શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલે છેલ્લા દિવસોમાં ઠંડીનું પ્રમાણસારું હતું તેવામાં માફકસર વાતાવરણથી આંબાવાડીમાં ફ્રૂટની સારી શરૂઆત થઈ જવા પામી હતી જેનાથી ધરતીપુત્રોને આ સીઝન સારી રહેવાની આશા બંધાઈ હતી અને ઘણા ખેડૂતોએ દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો હતો.
આમ આ વખતે આંબાવાડીમાં ફૂટ આવવાની શરૂઆત સારી રહી હતી તેવામાં વાદળછાયા વાતાવરણ અને ત્‍યારબાદ માવઠું આવશે તો આ વર્ષે પણ સિઝન ખરાબ થવાની શકયતા જણાઈ રહી છે નોંધનીય છે કે જીલ્લામાં મોટા પાયે ફળોના રાજા કેરીનું ઉત્‍પાદન થતું હોય છે અને ખેડૂતોને સારી આવક મળતી હોય છે. તેવામાં નુકસાન થવાની ભીતિ થી ખેડૂતોની મુશ્‍કેલી વધવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
કેરી, ચીકુ અને શાકભાજીના પાકોને નુકસાની ભીતિ
વાદળછાયા વાતાવરણથી જીલ્લામાં કેરી ઉપરાંત ચીકુ અને શાકભાજીના પાકોને પણ નુકસાન થવાની સ્‍થિતિ ઊભી થવા પામી છે. આ વખતે વરસાદ લાંબો સમય સુધી ચાલુ રહેવા સાથે ચોમાસાની વિદાય મોડી થતા આ ચીકુમાં પણ પૂરતા પ્રમાણમાં ફલાવરિંગ ન થતા ચીકુનું ઉત્‍પાદન પણ ચાલુ સીઝને ઓછું જોવા મળી રહ્યું છે તેવામાં વાદળછાયા વાતાવરણની ચીકુના ઉત્‍પાદન પર પણ વિપરિત અસર જોવા મળશે. આ ઉપરાંત તુવેર, પાપડી, રીંગણ સહિતના શાકભાજીના પાકોને પણ નુકસાન થશે તે નિશ્ચિત લાગી રહ્યું છે.
—-

Related posts

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

વલસાડના નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર એન.એન. દવેએ પદભાર સંભાળ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment