October 13, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે પોતાની જવાબદારી નિષ્‍ઠા અને કાર્યક્ષમ રીતે નિભાવવા વિશાલભાઈ ટંડેલે આપેલી ખાતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના યુવા નેતા અને ભાજપના રાષ્‍ટ્રીય ઓબીસી મોર્ચાના કારોબારી સભ્‍ય શ્રી વિશાલભાઈ ટંડેલને ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાની સૂચનાથી ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી કે.લક્ષ્મણના માર્ગદર્શનમાં ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય પ્રભારી શ્રી અરુણ સિંહની ઉપસ્‍થિતિમાં આજે યોજાયેલ વર્ચ્‍યુઅલ બેઠકમાં શ્રી વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે નિયુક્‍ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આસામ જેવા મોટા રાજ્‍યના ભાજપ ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે શ્રી વિશાલભાઈ ટંડેલની કરાયેલી નિયુક્‍તિથી આવતા દિવસોમાં આસામ ખાતે ઓબીસી મોર્ચાનું સંગઠન વધુ મજબૂત બનશે એવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે.
શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાની અખબારી યાદીમાં જણાવ્‍યું છે કે, ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે.લક્ષ્મણજી દ્વારા આસામ રાજ્‍યના પ્રભારી તરીકે સોંપવામાં આવેલદાયિત્‍વને તેઓ નિષ્‍ઠાપૂર્વક નિભાવશે અને તેમણે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડા, ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે.લક્ષ્મણ, ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય પ્રભારી શ્રી અરુણ સિંહ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વિશેષ આભાર પણ પ્રગટ કર્યો છે.

Related posts

શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું

vartmanpravah

નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનમાં બે યુવકોને કેસ બાબતે સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો તથા રોકડા લીધાનો આક્ષેપ

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

સમગ્ર શિક્ષા દાદરા નગર હવેલી દ્વારા સમાવેશી શિક્ષા અંતર્ગત એન્‍વાયરમેંટ બિલ્‍ડીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment