January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે પોતાની જવાબદારી નિષ્‍ઠા અને કાર્યક્ષમ રીતે નિભાવવા વિશાલભાઈ ટંડેલે આપેલી ખાતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના યુવા નેતા અને ભાજપના રાષ્‍ટ્રીય ઓબીસી મોર્ચાના કારોબારી સભ્‍ય શ્રી વિશાલભાઈ ટંડેલને ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાની સૂચનાથી ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી કે.લક્ષ્મણના માર્ગદર્શનમાં ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય પ્રભારી શ્રી અરુણ સિંહની ઉપસ્‍થિતિમાં આજે યોજાયેલ વર્ચ્‍યુઅલ બેઠકમાં શ્રી વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે નિયુક્‍ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આસામ જેવા મોટા રાજ્‍યના ભાજપ ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે શ્રી વિશાલભાઈ ટંડેલની કરાયેલી નિયુક્‍તિથી આવતા દિવસોમાં આસામ ખાતે ઓબીસી મોર્ચાનું સંગઠન વધુ મજબૂત બનશે એવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે.
શ્રી વિશાલભાઈ ટંડેલે પોતાની અખબારી યાદીમાં જણાવ્‍યું છે કે, ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે.લક્ષ્મણજી દ્વારા આસામ રાજ્‍યના પ્રભારી તરીકે સોંપવામાં આવેલદાયિત્‍વને તેઓ નિષ્‍ઠાપૂર્વક નિભાવશે અને તેમણે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડા, ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે.લક્ષ્મણ, ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય પ્રભારી શ્રી અરુણ સિંહ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વિશેષ આભાર પણ પ્રગટ કર્યો છે.

Related posts

સલવાવની સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાયર સેફટી ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી છરવાડા રમઝાનવાડી સોફાની દુકાનમાં ભીષણ આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ

vartmanpravah

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

vartmanpravah

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટનો શકવર્તી ચુકાદો આમલી ખાતે રહેતા યુવાનનું ગળુ દબાવી હત્‍યા કરવાના ગુનાના આરોપીજીજ્ઞેશ ભીખા વાળંદને ફટકારેલી આજીવન કેદની સજા

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

vartmanpravah

Leave a Comment