April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયેલ ગણેશ મહોત્‍સવ ગુરુવારે અનંત ચૌદશના દિવસે પુર્ણ થયો પરંતુ જેટલી આસ્‍થા અને મહિમા સાથે બાપ્‍પાની મૂર્તિઓની સ્‍થાપના કરી દરરોજ સેવા અર્ચના, આરતી પૂજા કરીને ભાવિકોએ ભરેલા હૃદયે શ્રીજીની મૂર્તિઓનું ક્રમશઃ નદી, તળાવ, દરિયામાં વિસર્જન કર્યું. ભક્‍તોએ હાશકારો અનુભવ્‍યો પણ ના સ્‍થિતિ એ નથી ઉદ્‌ભવી. વલસાડ ઔરંગા નદી કિનારે ગણેશજીની મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલત દુર્દશાગ્રસ્‍ત બની રઝળી રહી છે.
સનાતન ધર્મમાં પર્વ તહેવારોનો મહિમા અપરંપાર છે. દરેક તહેવારો ધામધૂમથી ઉજવાય પણ છે. પરંતુ ક્‍યાંક અક્ષમ્‍ય ગણી શકાય તેવી માનવ સર્જીત ક્ષતિઓ પણ સર્જાય છે. તેવુ વર્તમાન ગણેશ મહોત્‍સવમાં જોવા મળ્‍યું છે. દમણના દરિયા કિનારે અને વલસાડ ઔરંગા નદીમાં વિસર્જીત કરેલી બાપ્‍પાની મૂર્તિઓ બેહાલ બની તૂટેલી ફુટેલી અદ્ય ઓગળેલી હાલતમાં રઝળતી પડી છે. આને ધર્મ ભક્‍તિ કેવી રીતે ગણી શકાય? જેટલી આસ્‍થાથી મૂર્તિઓનું સ્‍થાપન અને વિસર્જન થાય છે તે આસ્‍થા અંત સુધી જળવાતી જોવા મળતી નથી. આ માનવ સર્જીત ભૂલ છે. કારણ કે જો માટીની મૂર્તિઓ સ્‍થપાય અને વિસર્જન થાય તો પાણીમાંતુરત ઓગળી જાય પરંતુ પી.ઓ.પી.ની મૂર્તિઓ ઓગળતી નથી અથવા ઘણા સમય પછી ઓગળતી હોય છે. પરિણામે ઓવારે શ્રીજીની મૂર્તિઓની બેહાલી જોવા મળી રહી છે. વલસાડમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કંપની નીચા વાયરો પણ અંતરાય રૂપ બન્‍યા હતા તેથી ઘણા સ્‍થળે મૂર્તિઓ અટકી પડી હતી. તેનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે તેવુ ભક્‍તો ઈચ્‍છી રહ્યા છે.

Related posts

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

વાપીમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ.માં હિન્‍દી કવિ સંમેલન યોજાયું

vartmanpravah

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીનો યોજાયો પદગ્રહણસમારોહ પ્રમુખ તરીકે મિલનભાઈ પટેલની વરણીઃ મેઘાવીન પરમારને સોંપાયેલી સેક્રેટરીની જવાબદારીઃ કોષાધ્‍યક્ષ પદે વિરલસિંહ રાજપુતની નિયુક્‍તિ

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

Leave a Comment