April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મસાટની એક કંપનીમાં કામ કરતા યુવાને રખોલી પુલ પરથી કુદી આત્‍મહત્‍યાનો કરેલો પ્રયાસઃ બ્રિજ ઉપર બંને બાજુ લોખંડની જાળી લગાવવાની માંગ તંત્રના કાને સંભળાતી નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.27
દાદરા નગર હવેલીના મસાટ ગામે એક કંપનીમાં કામ કરતા યુવાને ઘરેથી બાઇક લઈને નીકળી રખોલી દમણગંગા નદીના પુલ પરથી નીચે ઝંપલાવી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. સંજોગોવસાત ખડક ઉપર પડતા હાથ-પગમાં ફ્રેકચર થયા હતા. જે હાલમાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગણેશ ત્રિમ્‍બક મોકાશી (ઉ.વ.20) રહેવાસી ખિડસે, વાલવડે, જવાહર થાણે જે મસાટની એક કંપનીમાં નોકરી કરતો અને કંપનીમાં જ એક છોકરી સાથે પ્રેમમાં પડેલ જેણે એના મોબાઈલ સ્‍ટેટ્‍સ પર ‘હું જેને ચાહતો હતો એણે મને દગો આપતા હું મરવા જઈ રહ્યો છું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ’ યુવાન બાઇક લઈને રખોલી દમણગંગા નદીના બ્રીજ પર આવી બાઇકને સાઈડ પર મૂકી નદીમાં કુદી પડયો પરંતુ આ યુવાન પાણીમાં પડવાની જગ્‍યાએ ખડક ઉપર જ પડતા હાથ-પગમાં ગંભીર ફ્રેક્‍ચર થયું હતું. યુવાનને કૂદતો જોઈ આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રખોલી પોલીસની ટીમ આવી ખડક ઉપર પડેલ યુવાનને ચેક કરતા તે અર્ધબેભાન અવસ્‍થામાં હતો અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યો હતો. યુવાનના પરિવારને જાણ થતાંતેઓ પણ સિવિલ હોસ્‍પિટલમાં આવીપહોચ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, ગત અઠવાડિયામાં પણ બે યુવાનોએ રખોલી પુલ પરથી કૂદીને આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક યુવાને જીવ પણ ગુમાવ્‍યો છે. આ બ્રિજ ઉપરથી આત્‍મહત્‍યાના પ્રયાસોને રોકવા માટે લોકો તથા કેટલાક નેતાઓ દ્વારા આગેવાનો દ્વારા દમણગંગા નદીના રખોલી, નરોલી અને અથાલ બ્રિજ પર લોખંડની મજબૂત જાળી લગાવવા માટે માંગો કરવામાં આવી રહી છે પરંતુ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈપણ પ્રયાસ સુધ્‍ધાં કરાયો નથી એવી ચર્ચાઓ થઈ રહી છે.

Related posts

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્‍યો

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

સાબરકાંઠાઃ ઈડરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલનો એક તરફી પ્રેમ પ્રકરણનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ નિર્દોષ મહિલાકર્મીની ક્ષોભજનક સ્‍થિતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment