March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સેવા સદનમાં પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં પ્રિ-મોન્‍સૂન બેઠક મળી : આગામી 1-જૂનથી કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી સેવાસદન ખાતે પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં આગામી ચોમાસા દરમ્‍યાન પડકારોનો સામનો કરવા પ્રિ-મોન્‍સૂન પ્રીપેડનેશ બેઠક યોજાઈ હતી. જેમાં ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલએ પ્રિમોન્‍સુન કામગીરી માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી કામગીરી પાર પાડવા એકશન પ્‍લાન તૈયાર કરાયો હતો. આફત સમયે જરૂરી અનાજ પુરવઠો હાથ પર રહે, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાન અપડેટ કરવો, ડેમમાં પાણી છોડવા અંગે આગોતરી જાણ કરવી, પાણી ભરાવાના સ્‍થળે સાઈન બોર્ડ, પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આશ્રય સ્‍થાનો નક્કી કરવા, વીજ પુરવઠો સતત મળતો રહે તે માટે કાર્યવાહી, ગટર ડ્રેનેજની સફાઇ, દવાનો જથ્‍થો, પીવાનું પાણી, પાણીનું શુદ્ધિકરણ, વરસાદ માપક યંત્ર, શાળા ઓરડા, મૃત પશુઓના નિકાલની વ્‍યવસ્‍થા, આંગણવાડી કેન્‍દ્રોનું સમારકામ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિમાંખેતી પાકનો સર્વે, માર્ગ ઉપર નડતરરૂપ વૃક્ષોની છટણી, કંટ્રોલ રૂમ ફોન, કુદરતી કે માનવસર્જિત આફતો દરમ્‍યાન તલાટીઓએ વિગતો અપડેટ કરી મામલતદારને આપવી જેવી અનેક બાબતો ઉપર વિચાર વિમર્શ કરાયો હતો.
ચીખલી મામલતદાર રાકેશભાઈ જોશી, ટીડીઓ કેતનભાઈ દેસાઈ, માર્ગ મકાન સ્‍ટેટ અને પંચાયત, ટીપીઓ વિજયભાઈ, ટીએચઓ અલ્‍પેશભાઈ, પોલીસ, વીજ કંપની, વન વિભાગ, ખેતીવાડી સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah

વાપીમાં ત્રણ સંતાનોના નરાધમ પિતાએ 13 વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી : ચોમેર ફિટકાર વરસ્‍યા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

વાપીમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતા વિદ્યાર્થીનું ટ્રેન અડફેટમાં મોત

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

vartmanpravah

Leave a Comment