Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણીઝાંપા હાઈવે પર ડ્રાઈવરે સ્‍ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્‍કરે મારી પલટી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી નેશનલ હાઈવે પરથી ગત રાત્રીના સાડા અગિયારેક વાગ્‍યે સુરત તરફ જતું એક ટેન્‍કર નંબર જીજે-12-બીવી-3984ના ચાલકે દમણીઝાંપા હાઈવે પાસેના સોના દર્શન-2 સામે કોઈ કારણસર કાબૂ ગુમાવતા કદાવર ટેન્‍કર ધડાકાભેર હાઈવેની ગ્રીલ તોડી સર્વિસ રોડ પર 50થી 60 ફૂટ સુધી ઘસડાઈ પલટી મારી ગયું હતું. રાત્રીના અકસ્‍માતનો ધડાકાભેર અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. જોકે અકસ્‍માત બાદ ટેન્‍કર ચાલક ટેન્‍કર મૂકી ફરાર થઈ ગયો હતો. અને બીજી તરફ આ ટેન્‍કરમાંથી કેમિકલ પ્રવાહી ઢોળાતું હોય જેને લઈ અકસ્‍માત બાદ એકસમયે આગ લાગવા જેવી ભીતિ સર્જાતા આજુબાજુના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયોહતો.
આ બાબતની જાણ થતાં જ પારડી પી.એસ.આઈ ડી.એલ. વસાવા અને એ.ડી.ડોડીયા તેમના સ્‍ટાફ સાથે દોડી આવ્‍યા હતા અને સૌ પ્રથમ ટેન્‍કર પાસેના બંને તરફના સર્વિસ રોડ બંધ કરાવ્‍યા હતા. અને પારડી ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી. તપાસના અંતે પોલીસને આ ટેન્‍કરમાં પેય ફલેક્ષ નામનું કેમિકલ હોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે આ બાબતની જાણ હાઈવે ઓથોરિટીને કરવામાં આવી હોવા છતાં કલાકો સુધી ફરકી ન હતી અને આખરે પોલીસે પ્રાઈવેટ ક્રેન મંગાવી પલટી મારેલા ટેન્‍કરને સાઇડે કરવાની કામગીરી હાથ ધરી હતી. અને આ સમયે કોઈ અઘટિત ઘટના ન સર્જાય માટે ફાયર ટીમ પણ ખડે પગે ઊભી રહી હતી.

Related posts

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ટાઉનહોલ અને સચદેવ બાલ ઉદ્યાન ગાર્ડનમાં હાલમાં ડીમોલીશનનુ કાર્ય ચાલી રહ્યુ છે.પ્રશાસન દ્વારા ટાઉન હોલની જગ્‍યામાં પણ ગાર્ડનને ડેવલોપ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકો માટેના રમતના સાધનો, સિનિયર સીટીઝનો માટે બેઠકની વ્‍યવસ્‍થા સાથે પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેવા પ્રોજેક્‍ટ બનાવવામાં આવશે.

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

vartmanpravah

Leave a Comment