Vartman Pravah
Breaking Newsસેલવાસ

રાંધા ગ્રામ પંચાયત ખાતે આદિવાસી સમાજની મળેલી બેઠક કેન્‍દ્રમાં બહુમતિ સાથે મોદી સરકાર તો કાર્યરત છે જ તમારે તો ફક્‍ત સરકાર સાથે ડગથી ડગ માંડીને કામ કરી શકે એવા  પ્રતિનિધિને જ ચૂંટવો છેઃ સહ પ્રભારી ગણપતભાઈ વસાવા

  • દાદરા નગર હવેલીના આદિવાસીઓની કાયાપલટ માટે શરૂ કરેલી વિવિધ યોજનાઓની પણ આપવામાં આવેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04
દાનહની લોકસભા પેટાચૂંટણીના સંદર્ભમાં, કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અને પ્રદેશ ભાજપના ચૂંટણી પ્રભારી કેન્‍દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને સહ પ્રભારી શ્રી ગણપતભાઈ વસાવા રાંધા ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજની બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્‍પીકર અને ધારાસભ્‍ય તેમજ દાનહ લોકસભા પેટા ચૂંટણીના સહ-પ્રભારી શ્રી ગણપતભાઈ વસાવાએ આજની બેઠકમાં ઉપસ્‍થિત આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને સંબોધતા જણાવ્‍યુંહતું કે, મોદી સરકારે આદિવાસીઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે જેટલું કામ કર્યું છે તેટલો વિકાસ આઝાદી પછીના ઇતિહાસમાં કયારેય થયો નથી. આપના દાનહમાં લોકસભાની પેટા ચૂંટણી છે તમારે સરકાર નથી ચૂંટવી પરંતુ તમારે એક મજબૂત પ્રતિનિધિ ચૂંટીને આપવાનો છે, એવા ઉમેદવારની પસંદગી કરજો કે જે તમારા વિસ્‍તારના વિકાસ માટે દોડે. શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ભાજપે રાજનીતિમાં પણ આદિવાસી સમાજને ઘણું પ્રાધાન્‍ય આપ્‍યું છે. આજ સુધી કોઈ પક્ષે આપણા સમાજને આટલું નથી આપ્‍યું.
શ્રી ગણપતભાઈ વસાવાએ આહવાન કરતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીની લોકસભાની આ પેટા ચૂંટણીમાં, કમળના ચિહ્‌ન પર બટન દબાવીને, શ્રી મોદીના હાથ મજબૂત કરો અને તમારા પ્રદેશના અને રાષ્‍ટ્રના વિકાસમાં સહભાગી બનો.
આજના કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે ઉપસ્‍થિતોને વિગતવાર આદિવાસી સમાજના વિકાસ માટે કેન્‍દ્રની મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ સમજાવી હતી અને લોકોને અન્‍ય ઉપયોગી માહિતીથી વાકેફ કર્યા હતા.
આ અવસરે ભાજપના પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીઅજયભાઈ દેસાઈ, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ડુંગરા ચણોદમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી

vartmanpravah

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની કરવામાં આવેલી વરણી

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની સામાન્‍ય સભા વી.આઈ.એ.માં યોજાઈ : કારોબારીની રચના

vartmanpravah

Leave a Comment