(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ,તા.02: સંઘપ્રદેશ દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના સ્થાપિત ગણપતિની મૂર્તિઓનું આજે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
નાની અને મોટી દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી જેની પૂજા-અર્ચના બાદ વાજતે-ગાજતે ભક્તિભાવપૂર્વક ભીની આંખે શ્રી ગણેશજીની મૂર્તિઓનું નાની અને મોટી દમણની જેટી ખાતે દમણગંગા નદીના સમુદ્ર સંગમ સ્થળે વિસર્જન કરવામાં આવ્યું હતું.