June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

વી.આઈ.એ.ને પણ તાકીદે સ્‍કેપ ડુંગરા-કરવડના ભંગાર ગોડાઉનમાં ન મોકલવા જણાવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં છેલ્લા બે સપ્તાહથી ભંગારના ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવોને ધ્‍યાને લઈ જી.પી.સી.બી. પણ એકશન મોડમાં આવી છે. ભંગારના ગોડાઉનોની પરવાનગી અંગેની નકલો જી.પી.સી.બી.એ મંગાવી છે.
ગુજરાત પોલ્‍યુશન કન્‍ટ્રોલ બોર્ડ વાપી દ્વારા એક લેખિત સરક્‍યુલર ચીફ ઓફિસર વાપીનગરપાલિકા, સરપંચશ્રી કરવડ ગ્રામ પંચાયત, વી.આઈ.એ.માં પાઠવાયો છે અને જણાવાયું છે કે, પંચાયત કે પાલિકા દ્વારા ભંગાર ગોડાઉનો અંગે માલિકી પરવાનગી આપવામાં આવી હોય તેની નકલ જી.પી.સી.બી.ની ઓફિસમાં જમા કરાવવાની તાકીદ કરાઈ છે. તેમજ વી.આઈ.એ.ને જણાવાયું કે સ્‍ક્રેપ ભંગારના ગોડાઉનમાં નહી મોકલવાની ગોઠવણ કરવા જણાવ્‍યું છે. જે જે ગોડાઉનોમાં આગે લાગી છે, કોઈ માલિકીની જમીન છે તેમજ પંચાયત કે પાલિકા દ્વારા પરવાનગી અપાયેલ હોય તો તેની નકલ જી.પી.સી.બી.માં રજૂ કરવી. વી.આઈ.એ. ડુંગરાના ભંગારીયાઓને સ્‍ક્રેપ ન મોકલે તેની જાણ ઉદ્યોગપતિઓને કરે. જી.પી.સી.બી. પોલિસ, પંચાયત અને વી.આઈ.એ. વધુ જાગૃકતા દાખવે તો આગના બનાવો જરૂર અટકાવી શકાય.

Related posts

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્‍માર રસ્‍તાનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

Leave a Comment