April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપીસેલવાસ

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

  • બુધવારે ધરમપુર, કપરાડામાં અતિશય વરસાદ બાદ ગુરુવારે વાપી વિસ્‍તારમાં મેઘરાજા મહેરબાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વાપી સહિત વલસાડજિલ્લામાં આજે ગુરુવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્‍યારે આશંકા મુજબ નવરાત્રીના ઉત્‍સવમાં મેઘરાજા રંગમાં ભંગ નહિ પાડે તો સારૂ! પરંતુ આજે એવું જ થયું નવરાત્રીના પ્રથમ દિવસે જ વાપી વિસ્‍તારમાં સાંજના સુમારે અચાનક ગાજવીજ સાથે એન્‍ટ્રી કરતા નવરાત્રી રમવા થનગનતા યુવા હૈયાઓના રંગમાં ભંગ પડયાની ચિંતા પ્રસરેલી જોવા મળી હતી.
ચાલુ વર્ષના ચોમાસાની લગભગ વિદાય થઈ ચૂકી હતી. છેલ્લા સપ્તાહથી વલસાડ જિલ્લામાં ઉઘાડ કાઢયો હતો. સૂર્ય નારાયણના દર્શન સાથે તડકાનું આગમન થઈ જતા વાતાવરણમાં ગરમીનો માહોલ છવાઈ ગયેલો નઝારો જોવા મળી રહ્યો હતો. ત્‍યાં આજે ગુરુવારે વાપી વિસ્‍તારમાં સાંજના સુમારે ગાજવીજ સાથે ફરી મેઘરાજાની એન્‍ટ્રી થઈ હતી. તે જોતા નવરાત્રી પર્વના પ્રારંભે જ અમી છાંટણી જેવા વરસેલા વરસાદે ખેલૈયાનો મૂડ ઓફ કરી દીધો હતો. છતાં પણ સરકારે છૂટછાટ આપી છે ત્‍યારે યુવા હૈયા ભીંજાતા ભીંજાતા પણ નવરાત્રીમાં થનગનશે એ ચોક્કસ છે.

Related posts

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર-ઝોનલ કરાટેમાં ગોલ્‍ડ મેડલ મેળવી ઓલ ઈન્‍ડિયા યુનિવર્સિટી કરાટે ચેમ્‍પિયનશિપ માટે પસંદગી થઈ

vartmanpravah

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

Leave a Comment