September 1, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

  • ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા ‘બાટલી, બકરૂં અને રોકડું’ની થનારી રેલમછેલની સંભાવના

લોકસભાની દાદરા નગર હવેલીબેઠકની પેટા ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્‍પષ્‍ટ બનવા જઈ રહ્યું છે. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસ એટલે કે, 8મી ઓક્‍ટોબરના રોજથી પરિણામ આવે ત્‍યાં સુધી ઉમેદવાર અને રાજકીય પક્ષોની પણ અગિ્નપરીક્ષા ચાલુ રહેશે. તેની સાથે સાથે સૌથી મોટી પરીક્ષા દાદરા નગર હવેલીના મતદારોની થવાની છે. કારણ કે, આ પેટા ચૂંટણીના પરિણામથી રાષ્‍ટ્રીય સ્‍તરે કોઈ ફરક પડવાનો નથી. તેથી દાદરા નગર હવેલીના વિકાસનું હિત કયા ઉમેદવારના હૈયે સમાયેલું છે એ નક્કી કરવાની જવાબદારી મતદારોની રહેશે.
ચૂંટાયેલા ઉમેદવાર પાસે સાંસદ તરીકે માંડ બે કે અઢી વર્ષ રહેવાના છે. સાંસદો પાસે કોઈપણ પ્રકારના વહીવટી અધિકાર નથી. સાંસદ કરતા પંચાયતના સરપંચનું પદ દેશમાં વધુ શક્‍તિશાળી છે. તેથી એવા સાંસદની પસંદગી કરવી જરૂરી બનશે કે જેઓ સરકાર પાસે પોતાના વિસ્‍તારના લોકઉપયોગી કામો કરાવી શકે અને તંત્રમાં પોતાની પકડ પણ મજબુત રહે.
ભૂતકાળમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના મોટાભાગના સાંસદો પોતાની શક્‍તિનો ઉપયોગ ઉદ્યોગોમાંથી ખંડણી ઉઘરાવવા કરતા હતા અને પ્રદેશના પ્રશાસકને પોતાના હાથમાં રાખી વિરોધીઓને રંજાડવાનું કામ કરતા હતા. પરંતુ હવે પ્રદેશની રાજનીતિ પણ બદલાઈ છે અને લોકોની વિચારશક્‍તિમાં પણ પરિવર્તનઆવ્‍યું છે. તેથી આ પેટા ચૂંટણીનું પરિણામ પણ જિલ્લા અને પ્રદેશની રાજનીતિ માટે નિર્ણાયક બનશે એવું સ્‍પષ્‍ટ દેખાય છે.
આ ચૂંટણીમાં લગભગ તમામ ઉમેદવારો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટે ‘બાટલી, બકરૂં અને રોકડું’ની રેલમછેલ થવાની સંભાવના નકારાતી નથી. ત્‍યારે મતદારોએ પણ સજાગ બની પોતાના હિતનો વિચાર કરવો પડશે. કારણ કે, સાંસદ પાસે કોઈ સીધી વહીવટી સત્તા નહીં હોવા છતાં તેઓ સાંસદ બનવા માટે મરણિયા શા માટે બને છે તેના ઉપર નજર નાંખવી પડશે.
ભૂતકાળમાં સાયકલ ઉપર ફરતો એક વ્‍યક્‍તિ માંડ સરપંચ બનતાં જ મોટી ગાડી, વાડી અને બંગલાના માલિક થતા પણ જોયા છે. ત્‍યારે સાંસદો માટે તો કહેવું જ શું હતું? હવે સ્‍થિતિ બદલાયેલી છે. નીતિ અને નિયત હવે સ્‍પષ્‍ટ રહે તો જ તે રાજકારણમાં ટકી શકે તેવું વાતાવરણ પણ બની રહ્યું છે. જેની પ્રતિતિ આ લોકસભાની પેટા ચૂંટણીના પરિણામમાં પણ જોવા મળશે એવો વિશ્વાસ દૃઢ બનેલો છે.
                                                                                                                                                              (ક્રમશઃ)

Related posts

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment