April 19, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

  • ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા ‘બાટલી, બકરૂં અને રોકડું’ની થનારી રેલમછેલની સંભાવના

લોકસભાની દાદરા નગર હવેલીબેઠકની પેટા ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્‍પષ્‍ટ બનવા જઈ રહ્યું છે. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસ એટલે કે, 8મી ઓક્‍ટોબરના રોજથી પરિણામ આવે ત્‍યાં સુધી ઉમેદવાર અને રાજકીય પક્ષોની પણ અગિ્નપરીક્ષા ચાલુ રહેશે. તેની સાથે સાથે સૌથી મોટી પરીક્ષા દાદરા નગર હવેલીના મતદારોની થવાની છે. કારણ કે, આ પેટા ચૂંટણીના પરિણામથી રાષ્‍ટ્રીય સ્‍તરે કોઈ ફરક પડવાનો નથી. તેથી દાદરા નગર હવેલીના વિકાસનું હિત કયા ઉમેદવારના હૈયે સમાયેલું છે એ નક્કી કરવાની જવાબદારી મતદારોની રહેશે.
ચૂંટાયેલા ઉમેદવાર પાસે સાંસદ તરીકે માંડ બે કે અઢી વર્ષ રહેવાના છે. સાંસદો પાસે કોઈપણ પ્રકારના વહીવટી અધિકાર નથી. સાંસદ કરતા પંચાયતના સરપંચનું પદ દેશમાં વધુ શક્‍તિશાળી છે. તેથી એવા સાંસદની પસંદગી કરવી જરૂરી બનશે કે જેઓ સરકાર પાસે પોતાના વિસ્‍તારના લોકઉપયોગી કામો કરાવી શકે અને તંત્રમાં પોતાની પકડ પણ મજબુત રહે.
ભૂતકાળમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના મોટાભાગના સાંસદો પોતાની શક્‍તિનો ઉપયોગ ઉદ્યોગોમાંથી ખંડણી ઉઘરાવવા કરતા હતા અને પ્રદેશના પ્રશાસકને પોતાના હાથમાં રાખી વિરોધીઓને રંજાડવાનું કામ કરતા હતા. પરંતુ હવે પ્રદેશની રાજનીતિ પણ બદલાઈ છે અને લોકોની વિચારશક્‍તિમાં પણ પરિવર્તનઆવ્‍યું છે. તેથી આ પેટા ચૂંટણીનું પરિણામ પણ જિલ્લા અને પ્રદેશની રાજનીતિ માટે નિર્ણાયક બનશે એવું સ્‍પષ્‍ટ દેખાય છે.
આ ચૂંટણીમાં લગભગ તમામ ઉમેદવારો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટે ‘બાટલી, બકરૂં અને રોકડું’ની રેલમછેલ થવાની સંભાવના નકારાતી નથી. ત્‍યારે મતદારોએ પણ સજાગ બની પોતાના હિતનો વિચાર કરવો પડશે. કારણ કે, સાંસદ પાસે કોઈ સીધી વહીવટી સત્તા નહીં હોવા છતાં તેઓ સાંસદ બનવા માટે મરણિયા શા માટે બને છે તેના ઉપર નજર નાંખવી પડશે.
ભૂતકાળમાં સાયકલ ઉપર ફરતો એક વ્‍યક્‍તિ માંડ સરપંચ બનતાં જ મોટી ગાડી, વાડી અને બંગલાના માલિક થતા પણ જોયા છે. ત્‍યારે સાંસદો માટે તો કહેવું જ શું હતું? હવે સ્‍થિતિ બદલાયેલી છે. નીતિ અને નિયત હવે સ્‍પષ્‍ટ રહે તો જ તે રાજકારણમાં ટકી શકે તેવું વાતાવરણ પણ બની રહ્યું છે. જેની પ્રતિતિ આ લોકસભાની પેટા ચૂંટણીના પરિણામમાં પણ જોવા મળશે એવો વિશ્વાસ દૃઢ બનેલો છે.
                                                                                                                                                              (ક્રમશઃ)

Related posts

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” નિમિતે વિદ્યાર્થીઓ માટે ઓરલ પ્રેઝન્‍ટેશન સ્‍પર્ધા તેમજ જાગૃતિ વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

જિલ્લા પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ 8 વર્ષ દરમિયાન દમણ જિલ્લામાં થયેલા વિકાસની રજૂ કરાયેલી ગાથા

vartmanpravah

સાંસદનિધિ અંતર્ગત રૂા.ર કરોડ 60 લાખના કામો સાથે દાનહની વિવિધ સમસ્‍યાઓ અને વિકાસલક્ષી મુદ્દાઓની સાંસદ કલાબેન ડેલકરે કલેક્‍ટરને કરેલી ધારદાર રજૂઆત

vartmanpravah

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

Leave a Comment