April 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

ઇંધણની કિંમતોમાં ફરી વધારો નિરાશાજનક છે અને વિચારવા પર મજબૂર કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૯૧.૪૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દેશમાં કેટલાંક શહેરોમાં તો એનાથી પણ વધારે છે. પેટ્રોલની કિંમતમાં આ જ વર્ષે લગભગ ૧૮ રૂપિયાનો વધારો થયો છે. આ જ વર્ષની શરૂઆતમાં ડીઝલની કિંમત ૭૫ રૂપિયાની નજીક હતી, પરંતુ તેમાં પણ આ વર્ષે લગભગ ૧૭ રૂપિયાનો વધારો થઈ ગયો છે. કુલ મળીને આ જ વર્ષે પેટ્રોલ, ડીઝલના ભાવમાં ૧૭-૧૮ રૂપિયાનો વધારો ચિંતાજનક છે. જાેકે સૌથી વધુ ચિંતા રાંધણ ગેસની છે. આ જ વર્ષે રાંધણ ગેસની કિંમતમાં ૨૦૫ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ હમણાં જ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક વખત ફરીથી ૧૫ રૂપિયાનો વધારો કરી દીધો છે. આ બે મહિનામાં ચોથી વાર કિંમતમાં વધારો કરાયો છે. આ વધારા બાદ એલપીજી સિલિન્ડરની કિંમત ૯૦૦ને પાર કરી ગઈ છે. કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતા ભાવને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આમ જનતાનું બજેટ તો તેનાથી ખોરવાઈ જ ગયું છે. શું સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલની કિંમતો ઘટાડવી ન જાેઇએ? એમાં કોઈ શંકા નહીં કે સરકારે વિકાસ કાર્યો માટે પૈસા જાેઇએ? સરકારની પોતાની મજબૂરી પણ હશે, તે કોરોના કાળમાં મોટાભાગની ટ્રેનો બંધ હોવા છતાં રેલ કર્મચારીઓને પરંપરા અનુસાર બોનસ આપવા મજબૂર છે. તહેવારની સિઝનમાં અન્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ કંઈકને કંઈક સરકાર આપશે. પરંતુ સરકારી નોકરીઓમાં દેશના પાંચ ટકા લોકો પણ નથી, બાકી લોકોને સરકાર કિંમતોમાં વધારો નહિ કરીને પણ રાહત આપી શકે છે. આશા રાખવી જાેઇએ કે હવે પેટ્રોલિયમ પદાર્થો અને આમ આદમીના ખિસ્સાં ખાલી નહીં કરવામાં આવે. બેશક, સરકારને તંત્ર ચલાવવા પૈસા જાેઇએ. તે કર કે આવકવેરાના સ્તર પર વધુ વસૂલી નથી કરી શકતી. જ્યારે અર્થવ્યવસ્થાનો કઠિન સમય છે, જ્યારે લગભગ દરેક ઉદ્યોગને પ્રોત્સાહનની જરૂર છે, ત્યારે સીધા કર વસૂલી કરવી આસાન પણ નથી. એવામાં, સરકારને કેવી રીતે પૈસા ભેગા કરવા જાેઇએ? પેંડોરાનો ઉલ્લેખ અહીં ખોટો નહીં ગણાય. પેંડોરાએ એ સંકેત આપ્યો છે કે દેશના અનેક દિગ્ગજ દેશમાં કમાવવામાં આવેલ ધનને યેનકેન રીતે દેશની બહાર મોકલતા રહ્યા છે. એવું કાળી કમાણીને છૂપાવવા માટે કરવામાં આવ્યું હોય કે ટેક્સ બચાવવા માટે, બંને સ્થિતિઓમાં સરકારે આગળ એવા ઉપાય કરવા જાેઇએ કે દેશના પૈસા દેશમાં જ રહે. ટેક્સ ચોરીની ગુંજાશ ઓછી કરવી પણ જરૂરી છે. સરકારે એવી જાેગવાઈ કરવી જ પડશે, જેથી પેટ્રોલ-ડીઝલ પરથી દબાણ ઓછું થાય.

Related posts

મસાટ ખાતે રહેતી સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા ગુમ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

કેન્‍દ્રિય આવાસ અને શહેરી વિકાસ રાજ્‍યમંત્રી કૌશલ કિશોરે ખાનવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં આપેલી હાજરી

vartmanpravah

વાપી તેરાપંથ યુવક પરિષદ દ્વારા 17 સપ્‍ટેમ્‍બરે રક્‍તદાન અમૃત મહોત્‍સવ યોજાશે

vartmanpravah

સાબરકાંઠાઃ ઈડરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલનો એક તરફી પ્રેમ પ્રકરણનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ નિર્દોષ મહિલાકર્મીની ક્ષોભજનક સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment