April 29, 2024
Vartman Pravah
Breaking Newsવલસાડ

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

વિદેશથી આવેલામાં સિંગાપુર-2, યુ.કે.-6, સાઉથ આફ્રિકા-2, બ્રાઝિલ-1 અને બાંગ્‍લાદેશના 1 મળી કુલ 12 મુસાફરનો સમાવેશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02
કોરોનાની બીજી લહેર હજુ પણ ચાલી રહી છે ત્‍યાં ઓમિક્રોન વેરિઅન્‍ટ નામનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે ત્‍યારે તેની સાવચેતી માટે વલસાડ જિલ્લામાં પરદેશથી આવેલા 12 જેટલા મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્‍ટ કરીને હોમ ક્‍વોરોન્‍ટાઈન કરવામાં આવ્‍યા છે.
ઓમિક્રોન વેરીઅન્‍ટ હાલમાં 11 હાઈરિસ્‍ક દેશોમાં જાહેર થયો છે તેથી ગુજરાત સરકારે તાત્‍કાલિક પરદેશથી આવતા મુસાફરો માટે સાવચેતી માટે નવી ગાઈડલાઈન અમલ કરી છે તે મુજબ વલસાડ જિલ્લામાં 12જેટલા મુસાફરો વિવિધ દેશમાંથી જિલ્લામાં આવ્‍યા છે. તેમાં સિંગાપુરથી-2, યુ.કે.થી-6, સાઉથ આફ્રિકાથી-2, બ્રાઝિલથી-1 અને બાંગ્‍લાદેશથી-1 મળી કુલ 12 મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્‍ટ કરીને હોમ ક્‍વોરોન્‍ટાઈન કરાયા છે.
તેમજ આઠમા દિવસે ફરી ટેસ્‍ટ બાદ ફરી સેમ્‍પલ લેવાશે અને નેગેટીવ રિપોર્ટ આવે તો પણ વધુ સાત દિવસ ઓબઝર્વેશનમાં રખાશે. કુલ 14 દિવસનું હોમ ક્‍વોરોન્‍ટાઈનનો ચુસ્‍ત અમલ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related posts

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ મતગણતરી મથકો ઉપર પરોઢ સુધી મતગણતરી ચાલી

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

Leave a Comment