વિદેશથી આવેલામાં સિંગાપુર-2, યુ.કે.-6, સાઉથ આફ્રિકા-2, બ્રાઝિલ-1 અને બાંગ્લાદેશના 1 મળી કુલ 12 મુસાફરનો સમાવેશ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02
કોરોનાની બીજી લહેર હજુ પણ ચાલી રહી છે ત્યાં ઓમિક્રોન વેરિઅન્ટ નામનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે તેની સાવચેતી માટે વલસાડ જિલ્લામાં પરદેશથી આવેલા 12 જેટલા મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્ટ કરીને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
ઓમિક્રોન વેરીઅન્ટ હાલમાં 11 હાઈરિસ્ક દેશોમાં જાહેર થયો છે તેથી ગુજરાત સરકારે તાત્કાલિક પરદેશથી આવતા મુસાફરો માટે સાવચેતી માટે નવી ગાઈડલાઈન અમલ કરી છે તે મુજબ વલસાડ જિલ્લામાં 12જેટલા મુસાફરો વિવિધ દેશમાંથી જિલ્લામાં આવ્યા છે. તેમાં સિંગાપુરથી-2, યુ.કે.થી-6, સાઉથ આફ્રિકાથી-2, બ્રાઝિલથી-1 અને બાંગ્લાદેશથી-1 મળી કુલ 12 મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્ટ કરીને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે.
તેમજ આઠમા દિવસે ફરી ટેસ્ટ બાદ ફરી સેમ્પલ લેવાશે અને નેગેટીવ રિપોર્ટ આવે તો પણ વધુ સાત દિવસ ઓબઝર્વેશનમાં રખાશે. કુલ 14 દિવસનું હોમ ક્વોરોન્ટાઈનનો ચુસ્ત અમલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.