Vartman Pravah
Breaking Newsવલસાડ

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

વિદેશથી આવેલામાં સિંગાપુર-2, યુ.કે.-6, સાઉથ આફ્રિકા-2, બ્રાઝિલ-1 અને બાંગ્‍લાદેશના 1 મળી કુલ 12 મુસાફરનો સમાવેશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02
કોરોનાની બીજી લહેર હજુ પણ ચાલી રહી છે ત્‍યાં ઓમિક્રોન વેરિઅન્‍ટ નામનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે ત્‍યારે તેની સાવચેતી માટે વલસાડ જિલ્લામાં પરદેશથી આવેલા 12 જેટલા મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્‍ટ કરીને હોમ ક્‍વોરોન્‍ટાઈન કરવામાં આવ્‍યા છે.
ઓમિક્રોન વેરીઅન્‍ટ હાલમાં 11 હાઈરિસ્‍ક દેશોમાં જાહેર થયો છે તેથી ગુજરાત સરકારે તાત્‍કાલિક પરદેશથી આવતા મુસાફરો માટે સાવચેતી માટે નવી ગાઈડલાઈન અમલ કરી છે તે મુજબ વલસાડ જિલ્લામાં 12જેટલા મુસાફરો વિવિધ દેશમાંથી જિલ્લામાં આવ્‍યા છે. તેમાં સિંગાપુરથી-2, યુ.કે.થી-6, સાઉથ આફ્રિકાથી-2, બ્રાઝિલથી-1 અને બાંગ્‍લાદેશથી-1 મળી કુલ 12 મુસાફરોનો આર.ટી. પી.સી.આર. ટેસ્‍ટ કરીને હોમ ક્‍વોરોન્‍ટાઈન કરાયા છે.
તેમજ આઠમા દિવસે ફરી ટેસ્‍ટ બાદ ફરી સેમ્‍પલ લેવાશે અને નેગેટીવ રિપોર્ટ આવે તો પણ વધુ સાત દિવસ ઓબઝર્વેશનમાં રખાશે. કુલ 14 દિવસનું હોમ ક્‍વોરોન્‍ટાઈનનો ચુસ્‍ત અમલ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી પ્રમુખ ગ્રીન સીટી ચલા છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્‍સવનું થતું આયોજન

vartmanpravah

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી બલીઠા ડેપોમાં કાદવમાં બે બસો ફસાઈ: ઉચ્‍ચ અધિકારીઓને મુસાફરો-સ્‍ટાફની હાલાકી દેખાતી નથી

vartmanpravah

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment