Vartman Pravah
સેલવાસ

ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલીકંઠીથી દાનહમાં મિશ્ર પ્રત્‍યાઘાતઃ જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્‍યો અને કાઉન્‍સિલરોની સ્‍થિતિ કફોડી

  • હવે ડેલકર પરિવાર માટે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? પૂછાતો પ્રશ્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલી કંઠીથી દાદરા નગર હવેલીમાં મિશ્ર પ્રત્‍યાઘાતો પડી રહ્યા છે અને માંડ એક વર્ષમાં બદલેલી બીજી પાર્ટીથી જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્‍યો અને કાઉન્‍સિલરોની સ્‍થિતિ કફોડી બનવા પામી છે.
ગયા વર્ષે 2020ના નવેમ્‍બરમાં યોજાયેલ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં તત્‍કાલિન સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરે જનતાદળ(યુ)નું શરણું લઈ તેમના પ્રતિક ઉપર ચૂંટણી લડયા હતા. મોહનભાઈ ડેલકરના આકસ્‍મિક નિધન બાદ ડેલકર પરિવારે જનતાદળ(યુ)ને વિશ્વાસમાં લીધા વગર હવે શિવસેનાની બાંધેલી કંઠીથી ચૂંટાયેલા સભ્‍યો ઉપરાંત સામાન્‍ય લોકોમાં પણ શંકા-કુશંકા પેદા થઈ રહી છે. કારણ કે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્‍યો અને કાઉન્‍સિલરોના સ્‍વાભિમાન ઉપર પણ ઠેસ પહોંચી રહી છે. હવે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? એ સમય અને સંજોગ બતાવશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

સ્‍માર્ટ સિટી સેલવાસના નવતર ‘‘Cycle2Work” અભિયાનને રાષ્‍ટ્રીય શહેરી કોન્‍કલેવમાં મળ્‍યો પ્રતિષ્‍ઠિત એવોર્ડ

vartmanpravah

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

માતૃશક્‍તિ જ્‍યારે સાથે છે ત્‍યારે આપણો વિજય નિヘતિ છેઃ ઉમેદવાર મહેશભાઈ ગાવિત

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

Leave a Comment