April 26, 2024
Vartman Pravah
સેલવાસ

ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલીકંઠીથી દાનહમાં મિશ્ર પ્રત્‍યાઘાતઃ જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્‍યો અને કાઉન્‍સિલરોની સ્‍થિતિ કફોડી

  • હવે ડેલકર પરિવાર માટે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? પૂછાતો પ્રશ્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલી કંઠીથી દાદરા નગર હવેલીમાં મિશ્ર પ્રત્‍યાઘાતો પડી રહ્યા છે અને માંડ એક વર્ષમાં બદલેલી બીજી પાર્ટીથી જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્‍યો અને કાઉન્‍સિલરોની સ્‍થિતિ કફોડી બનવા પામી છે.
ગયા વર્ષે 2020ના નવેમ્‍બરમાં યોજાયેલ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં તત્‍કાલિન સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરે જનતાદળ(યુ)નું શરણું લઈ તેમના પ્રતિક ઉપર ચૂંટણી લડયા હતા. મોહનભાઈ ડેલકરના આકસ્‍મિક નિધન બાદ ડેલકર પરિવારે જનતાદળ(યુ)ને વિશ્વાસમાં લીધા વગર હવે શિવસેનાની બાંધેલી કંઠીથી ચૂંટાયેલા સભ્‍યો ઉપરાંત સામાન્‍ય લોકોમાં પણ શંકા-કુશંકા પેદા થઈ રહી છે. કારણ કે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્‍યો અને કાઉન્‍સિલરોના સ્‍વાભિમાન ઉપર પણ ઠેસ પહોંચી રહી છે. હવે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? એ સમય અને સંજોગ બતાવશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોદી@20 પુસ્‍તકની ગુજરાતી આવૃત્તિનું કરેલું વિમોચન

vartmanpravah

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

Leave a Comment