April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દમણ રાજય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા નીચે મુજબની મફત કાનૂની સેવાઓ આપવામાં આવે છે. જેનો ઘરે ઘરે જઈ પ્રચાર કરવામાં આવ્‍યો હતો
જેમાં મફત કાનૂની સેવાઓમાં મફન કાનૂની સહાય સલાહ કચેરી, રિમાંડ વખતે મફત વકીલની સહાય, મધ્‍યસ્‍થતા, પેનલ વકીલની સહાયતા, રાષ્‍ટ્રીય લોક અદાલત, કાયમી લોક અદાલત, લીગલ એઈડ ક્‍લિનીક, (દરેક ગ્રામ પંચાયતનો કચેરીમાં ઉપલબ્‍ધ), કાનૂની સ્‍વયંસેવકો (દરેક ગ્રામ પંચાયતોની કચેરીમાં ઉપલબ્‍ધ) છે. આ કાનૂની સેવાઓસ્ત્રીઓ અને બાળકો, અનુ. જાતિ/ અનુ. જનજાતી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના લોકો, ઔદ્યોગિક મજૂરો, મોટી આપત્તિઓ, હિંસા, પૂર, ધરતીકંપ, દુકાળ, ઔદ્યોગિક આપત્તિઓના લોકો, વરિષ્‍ઠ નાગરિકો, વિકલાંગો, રૂા. 1,00,000/-થી ઓછી આવક ધરાવતા ગરીબ લોકો, બેરોજગાર અને ગેરકાનૂની માનવ વેપારના શિકાર લોકો, માનસિક બિમાર અને માનસિક અશક્‍તગ્રસ્‍ત વ્‍યક્‍તિઓ, એસિડ હુમલાના પીડિતો મેળવવા પાત્રતા ધરાવે છે. જેમાં રાષ્‍ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ યોજનાઓમાં હેરફેરનો ભોગને જાતિય શોષણ યોજના ર01પ, અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો માટે કાનૂની સેવાયોજના ર0ર1પ, બાળકો માટે બાળ મૈત્રીપૂર્ણ કાનૂની સેવા અને તેમના રક્ષણની યોજના ર01પ, માનસિક બીમાર અને માનસિક વિકલાંગ વ્‍યકિત માટે કાનૂની સેવા યોજના ર01પ, ગરીબી નાબૂદી અસરકારક અમલીકરણ યોજના ર01પ, આદિવાસી અધિકારના રક્ષણ અને અમલની યોજના 2015, કેફી દવાઓના દુરપયોગ અને દવાની આડ અસરથી પીડિત માટે કાનૂની સેવા યોજના ર01પ, તેજાબ દ્વારા હુમલાના ભોગ બનનાર માટે કાનૂની સેવા ર016, વરિષ્‍ઠ નાગરિકને કાનૂની સેવા ર016, આપત્તિ ભોગ બનનારને કાનૂની સેવા યોજનાનો સમાવેશ થાય છે.
ઉપરોક્‍ત તમામ સેવાઓનો લાભ લેવા માટે જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણની કચેરી, સિવિલકોર્ટ, દમણ અથવા ફોન નંબર 0260-2230087નો દમણ જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાના માતૃશ્રીનું નિધન

vartmanpravah

Leave a Comment