April 19, 2026
Vartman Pravah
દમણ

પેનાસોનિક કંપની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
પેનાસોનિક કંપની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દમણ ‘પેનાસોનિક કંપની’ હંમેશાથી સામાજિક વિકાસને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપતી આવી છે અને જરૂરિયાતમંદબાળકોના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્‍ય સાથે પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે કામ કર્યું છે.
આ વિચારધારાને લક્ષ્યમાં રાખતાં દમણ સ્‍થિત ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દમણ સ્‍થિત સરકારી શાળાઓમાં અભ્‍યાસ કરતાં ધોરણ 1થી8ના 6,000 વિદ્યાર્થીઓને આ કીટનું વિતરણ કરાયું છે, જેમાં સિંગલ પેરેન્‍ટ અને અનાથ વિદ્યાર્થીઓ પણ સામેલ છે.પેનાસોનિક કંપનીની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા આ કીટનું વિતરણ કરાયું છે. કંપનીના જીએમ-એચઆર શ્રી નરેન્‍દ્રભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ આ કીટનું આગળ વિતરણ થયું છે. કીટમાં પ્રોટીન, વિટામીન અને ખનિજયુક્‍ત રેશનની સાથે-સાથે શૈક્ષણિક સામગ્રી જેમકે નોટબુક, પેન્‍સિલ/પેન અને સ્‍વચ્‍છતા સંબંધિત સામગ્રી જેમકે ટુથપેસ્‍ટ, ટુથબ્રશ, સાબુ વગેરે સામેલ છે, જે હાલની કોવિડની સ્‍થિતિમાં ઇમ્‍યુનિટિ વધારવા માટે આવશ્‍યક છે.
આ કીટ વિતરણનું ઉદ્ધાટન કંપનીના ડબલ્‍યુડી ડિવિઝનના પ્‍લાન્‍ટ હેડ શ્રી દેબાંશુ પુરકાયસ્‍ત તથા વાયર ડિવિઝનના પ્‍લાન્‍ટ હેડ શ્રી અજય ઇંગલે દ્વારા કરાયું હતું. તેમણે ઉપસ્‍થિત માતા-પિતા તથા સ્‍કૂલ અને અક્ષ્યપાત્રના ઉપસ્‍થિત કર્મચારીઓને પેનાસોનિક હંમેશાપોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા તત્‍પર રહેતી હોવાની જાણકારી આપી હતી. તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી કે આ નાનું પગલું બાળકો અને તેમના પરિવારો માટે સ્‍વાસ્‍થ્‍ય અને ખુશી લઇને આવશે.
આ હેપ્‍પીનેસ કીટના વિતરણ સમયે કંપનીના એચઆર અધિકારી શ્રી તેજશ્રી માલવિયા અને શ્રી શિવાંગભાઈ પાઠક પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

શ્રી માહ્યાવંશી મિત્ર મંડળ મીરા રોડ દ્વારા રાસ ગરબા મહોત્સવ યોજાયો

vartmanpravah

મોટી દમણની પરિયારી શાળાના 4 શિક્ષકોને રોટરી ક્‍લબ દ્વારા મળેલો ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

Leave a Comment