March 4, 2026
Vartman Pravah
દમણ

પેનાસોનિક કંપની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
પેનાસોનિક કંપની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દમણ ‘પેનાસોનિક કંપની’ હંમેશાથી સામાજિક વિકાસને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપતી આવી છે અને જરૂરિયાતમંદબાળકોના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્‍ય સાથે પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે કામ કર્યું છે.
આ વિચારધારાને લક્ષ્યમાં રાખતાં દમણ સ્‍થિત ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દમણ સ્‍થિત સરકારી શાળાઓમાં અભ્‍યાસ કરતાં ધોરણ 1થી8ના 6,000 વિદ્યાર્થીઓને આ કીટનું વિતરણ કરાયું છે, જેમાં સિંગલ પેરેન્‍ટ અને અનાથ વિદ્યાર્થીઓ પણ સામેલ છે.પેનાસોનિક કંપનીની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા આ કીટનું વિતરણ કરાયું છે. કંપનીના જીએમ-એચઆર શ્રી નરેન્‍દ્રભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ આ કીટનું આગળ વિતરણ થયું છે. કીટમાં પ્રોટીન, વિટામીન અને ખનિજયુક્‍ત રેશનની સાથે-સાથે શૈક્ષણિક સામગ્રી જેમકે નોટબુક, પેન્‍સિલ/પેન અને સ્‍વચ્‍છતા સંબંધિત સામગ્રી જેમકે ટુથપેસ્‍ટ, ટુથબ્રશ, સાબુ વગેરે સામેલ છે, જે હાલની કોવિડની સ્‍થિતિમાં ઇમ્‍યુનિટિ વધારવા માટે આવશ્‍યક છે.
આ કીટ વિતરણનું ઉદ્ધાટન કંપનીના ડબલ્‍યુડી ડિવિઝનના પ્‍લાન્‍ટ હેડ શ્રી દેબાંશુ પુરકાયસ્‍ત તથા વાયર ડિવિઝનના પ્‍લાન્‍ટ હેડ શ્રી અજય ઇંગલે દ્વારા કરાયું હતું. તેમણે ઉપસ્‍થિત માતા-પિતા તથા સ્‍કૂલ અને અક્ષ્યપાત્રના ઉપસ્‍થિત કર્મચારીઓને પેનાસોનિક હંમેશાપોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા તત્‍પર રહેતી હોવાની જાણકારી આપી હતી. તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી કે આ નાનું પગલું બાળકો અને તેમના પરિવારો માટે સ્‍વાસ્‍થ્‍ય અને ખુશી લઇને આવશે.
આ હેપ્‍પીનેસ કીટના વિતરણ સમયે કંપનીના એચઆર અધિકારી શ્રી તેજશ્રી માલવિયા અને શ્રી શિવાંગભાઈ પાઠક પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

vartmanpravah

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

vartmanpravah

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

નાની દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં સ્માશાન ભૂમિના નવનિર્માણ માટે થયેલું મનોમંથન

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

Leave a Comment