(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
દાદરા નગર હવેલીના માંદોની ગામે ધોરણ-10અને 1રના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પરિણામ સારુ લાવવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકોએ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું.
જેમા માંદોની, ચિસદા, બેસદા, વાંસદા, સીંદોની અને ખેડપા ગામના બાળકો ભણવા આવે છે જેઓને કોઈપણ જાતનું ટયુશન મળતું નથી. જેના કારણે શાળાના શિક્ષકોએ પોતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને વાલીઓએ એમના બાળકોને કેવી રીતે એમના કાર્યોનું ધ્યાન રાખવામા આવે શિક્ષણ માટે યોગ્ય જરૂરી પ્રોત્સાહન આપવામા આવે અને પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓએ શું શું ધ્યાનરાખવું એ અંગે જાણકારી આપવામા આવી હતી.આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.