April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

મોતીવાડા અને બગવાડા બંને ઓવરબ્રિજ તૈયાર હોય આ ફાટક કાયમી ધોરણે બંધ થવાની નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.12: પારડી તાલુકાના ઉદવાડાનો રેલવે ફાટક ફરી એક વખત રીપેરીંગની કામગીરીને લઈ આવતીકાલે 13 એપ્રિલ સવારે 8 વાગ્‍યા થી 3જી મે આમ 20 દિવસ સુધી બંધ રહેશે. ઉદવાડા ફાટક પર રોજના સંઘપ્રદેશ દમણ તેમજ નોકરિયાત વર્ગો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, કામાર્થે જતા વાહનચાલકોનો ભારે ઘસારો જોવા મળે છે. પરંતુ હવે મોતીવાડા અને બગવાડા ખાતે નવા બ્રિજ તૈયાર થઈ ગયા હોય ઉદવાડા ફાટકનો ઉપયોગ કરતા તમામ રોજબરોજના લોકોને કોઈ ઝાઝો ફરક પડશે નહિ. આમ પણ છેલ્લા ઘણા સમયથી કોલક તથા ઉદવાડા ગામથી રેંટલાવ સુધીના તમામ વાપી તથા પારડી તરફ અપ-ડાઉન કરનારાઓએ મોતીવાડા તથા બગવાડા ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે ત્‍યારે 20 દિવસ માટે બંધ રહેલો આ ઉદવાડા ફાટક હવે લોકો કાયમ માટે બંધ કરી દે અને રેલવે એ ફાટક કાયમ માટે બંધ કરવાની નોબત આવે તો નવાઈ નહી.
સાથે સાથે બગવાડા ઓવરબ્રિજ લોકાર્પણ વિના જ લોકોએ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ વરસોથી ફાટક નજદીક ધંધો કરતા ઓરવાડ-રેંટલાવના નાના વેપારીઓને ધંધામાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.

Related posts

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્‍યાણ સમિતિ અને તેના સભ્‍યોએ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઅલ એસ્‍ટેટની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

vartmanpravah

Leave a Comment