March 3, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

વલસાડ જી.આર.પી.એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી : પરિવાર મુંબઈથી સુરત ટ્રેનમાં જતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
મુંબઈથી સુરત સિકદરાબાદ-રાજકોટટ્રેનમાં સુરત જવા નિકળેલ જવેલર્સ પરિવારનું વલસાડ સ્‍ટેશને રૂા.ર.07 લાખની મત્તા ભરેલ પાકીટ ચોરાઈ જતા જી.આર.પી.માં ફરિયાદ નોંધાવી હતી.
સુરત બોમ્‍બે માર્કેટ જવેલર્સનો વ્‍યવસાય કરતા સુરજ કોચનજી બાફના પરિવાર સાથે મુંબઈથી સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં નિકળ્‍યા હતા. વલસાડ સ્‍ટેશને સીટ નં. પર(બાવન) ઉપર રાખેલ પાકિટ કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયાની જાણ બાફના પરિવારને થઈ હતી. પાકિટમાં રોકડા રૂપિયા, સોનાનું બ્રેસલેટ, એ.ટી.એમ. કાર્ડ મળી રૂા.ર.07 લાખની મત્તા હતી. સુરત સ્‍ટેશન ફરિયાદ નોંધાવેલ તે ફરિયાદ વલસાડ જી.આર.પી.ને. ટ્રાન્‍સફર કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

Related posts

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ડીડીડી એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનની સ્‍થાપનાઃ સ્‍થાપક પ્રમુખ બનેલા શિવમકુમાર પટેલ

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

દાનહની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાણે યુવા મતદાતાઓ સાથે કરેલો સંવાદ: આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને કરેલા પ્રોત્‍સાહિત

vartmanpravah

Leave a Comment