April 20, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

  • વાતાવરણમાં બદલાવને કારણે રોગચાળો વધવાની સંભાવના : દોઢ ઇંચ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે કડાકાભડાકા સાથે વરસાદ શરુ થઇ ગયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમા બપોરે બે વાગ્‍યાથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાન 34એમએમ વરસાદ પડયો હતો.
ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના ડાંગરનો કપાયેલો પાક સાથે કઠોળનો પાક પણ ખેતરમા જ ઉભો છે તેવા સમયે બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્‍યાપક નુકસાન થયુ છે. ખેડૂતો તાડપત્રી ઢાકી પોતાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી છે જો ફરી બે દિવસ વરસાદ પડશે તો ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવશે. આ કમોસમી વરસાદને કારણે ડેંગ્‍યુના રોગમાં પણ વધારો થવાની સંભાવના છે.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘બુથ સશક્‍તિકરણ અભિયાન’ અંતર્ગત મહત્‍વની બેઠક યોજાઈ

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

vartmanpravah

સેલવાસના એવરેસ્‍ટ ગાર્ડન બંગલાના પ્‍લોટ પરથી પાઇપની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment