June 30, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

  • વાતાવરણમાં બદલાવને કારણે રોગચાળો વધવાની સંભાવના : દોઢ ઇંચ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે કડાકાભડાકા સાથે વરસાદ શરુ થઇ ગયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમા બપોરે બે વાગ્‍યાથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાન 34એમએમ વરસાદ પડયો હતો.
ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના ડાંગરનો કપાયેલો પાક સાથે કઠોળનો પાક પણ ખેતરમા જ ઉભો છે તેવા સમયે બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્‍યાપક નુકસાન થયુ છે. ખેડૂતો તાડપત્રી ઢાકી પોતાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી છે જો ફરી બે દિવસ વરસાદ પડશે તો ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવશે. આ કમોસમી વરસાદને કારણે ડેંગ્‍યુના રોગમાં પણ વધારો થવાની સંભાવના છે.

Related posts

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

vartmanpravah

વાપી બલીઠા હાઈવે મામલતદાર કચેરી સામે દોઢ મહિનાથી ઘોંચમાં પડેલ સર્વિસ રોડનું કામ શરૂ

vartmanpravah

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ડાયટ એન્‍ડ બાયોમાર્કર્સ સ્‍ટડી ઇન્‍ડિયા(ડીએબીએસ-આઇ)નો શુભારંભ

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

Leave a Comment