-
વાતાવરણમાં બદલાવને કારણે રોગચાળો વધવાની સંભાવના : દોઢ ઇંચ વરસાદ પડયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે કડાકાભડાકા સાથે વરસાદ શરુ થઇ ગયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. સેલવાસ અને આજુબાજુના વિસ્તારમા બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમ્યાન 34એમએમ વરસાદ પડયો હતો.
ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના ડાંગરનો કપાયેલો પાક સાથે કઠોળનો પાક પણ ખેતરમા જ ઉભો છે તેવા સમયે બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. ખેડૂતો તાડપત્રી ઢાકી પોતાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી છે જો ફરી બે દિવસ વરસાદ પડશે તો ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવશે. આ કમોસમી વરસાદને કારણે ડેંગ્યુના રોગમાં પણ વધારો થવાની સંભાવના છે.