July 18, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

વલસાડ જી.આર.પી.એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી : પરિવાર મુંબઈથી સુરત ટ્રેનમાં જતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
મુંબઈથી સુરત સિકદરાબાદ-રાજકોટટ્રેનમાં સુરત જવા નિકળેલ જવેલર્સ પરિવારનું વલસાડ સ્‍ટેશને રૂા.ર.07 લાખની મત્તા ભરેલ પાકીટ ચોરાઈ જતા જી.આર.પી.માં ફરિયાદ નોંધાવી હતી.
સુરત બોમ્‍બે માર્કેટ જવેલર્સનો વ્‍યવસાય કરતા સુરજ કોચનજી બાફના પરિવાર સાથે મુંબઈથી સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં નિકળ્‍યા હતા. વલસાડ સ્‍ટેશને સીટ નં. પર(બાવન) ઉપર રાખેલ પાકિટ કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયાની જાણ બાફના પરિવારને થઈ હતી. પાકિટમાં રોકડા રૂપિયા, સોનાનું બ્રેસલેટ, એ.ટી.એમ. કાર્ડ મળી રૂા.ર.07 લાખની મત્તા હતી. સુરત સ્‍ટેશન ફરિયાદ નોંધાવેલ તે ફરિયાદ વલસાડ જી.આર.પી.ને. ટ્રાન્‍સફર કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

Related posts

રાજ્‍યકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કલાકારો ઝળક્‍યા

vartmanpravah

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

vartmanpravah

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્‍ધ યોજેલા ધરણા પ્રદર્શન

vartmanpravah

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

vartmanpravah

Leave a Comment