January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

  • વિદ્યુત વિભાગ દ્વારા આપવામાં આવ્‍યું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન

  • અનિલભાઈ દમણિયાએ 32. વર્ષ સુધી વિદ્યુત વિભાગમાં નિષ્‍ઠા, પ્રમાણિકતા અને સમયપાલન સાથે બજાવેલી સેવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં આજે દમણ વિદ્યુત વિભાગના કાર્યાલય ખાતે ભવ્‍ય સેવા નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એમ.આર. ઈંગ્‍લેના અધ્‍યક્ષસ્‍થાને આયોજીત સમારંભમાં વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનિયરો, જે.ઈ. અને સ્‍ટાફના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી અનિલભાઈ દમણિયાએ દમણ-દીવ વિદ્યુત વિભાગમાં 32.5 વર્ષ સુધી પોતાની ફરજ નિષ્‍ઠા અને પ્રમાણિકતાથી બજાવી નિવૃત્ત થયા હતા. તેમણે ફરજ દરમિયાન શિષ્‍ત અને સમયનું ખાસ પાલન કર્યું હતું. તેઓ 1પમી ડિસેમ્‍બર 1989ના રોજ દમણ-દીવ વિદ્યુત વિભાગમાં જૂનિયર ઈજનેર તરીકે જોડાયા હતા અને 2012ના વર્ષથી ઈન્‍ચાર્જ સહાયક એન્‍જિનિયર તરીકે પોતાનો જવાબદારી નિભાવી રહ્યા હતા.
વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી એમ.આર. ઈંગ્‍લેએ જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહેલા શ્રીઅનિલભાઈ દમણિયાનું શેષ જીવન સુખ, શાંતિ, સમૃદ્ધ અને નિરોગી રહે એવી કામના કરી હતી અને નિવૃત્તિ કાળ દરમિયાન સતત સક્રિય અને પ્રવૃત્તિમય રહેવા પણ સલાહ આપી હતી.

Related posts

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

ગોયમા ખાતે નજીવી બાબતે મારામારી: ગુટખાની પિચકારી કોણે મારી હોવાનું પૂછતા ચાર જેટલા ઈસમોએ ભેગા મળી ગામના જ વ્‍યક્‍તિને ઢીબી નાખ્‍યો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

Leave a Comment