October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાદરા નગર હવેલીના નરોલી ગામની ત્રણ સગીર યુવતીઓ ગુમ થઇ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાંનોંધાઈ હતી. જેઓના મોબાઈલના આધારે તપાસ કરતા ઉત્તરપ્રદેશ નોઇડાથી મળી આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર જગદીશ બાલક્રિષ્‍ના સિમ્‍પી રહેવાસી ગણેશ કોમ્‍પ્‍લેક્‍સ નરોલી જેઓએ એમની 15 વર્ષની દીકરી સવારે શાળામાં જાઉ છું એમ કહી ઘરેથી નીકળી હતી. ત્‍યારબાદ પરત ઘરે નહી આવતા એની સાથે ભણતી બે મિત્રોના ઘરે તપાસ કરતા તેઓ પણ મળ્‍યા ન હતા. આ ઘટના અંગેની સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી અંડર સેકશન 363 મુજબ ગુનો નોંધી ફરિયાદ નોંધવામા આવી હતી.
પોલીસ માટે આ ચેલેંજીંગ કેસ હતો, પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન દ્વારા પીએસઆઇ શ્રી જીગ્નેશ પટેલ અને એએસઆઈ શ્રી આર.ડી.રોહિત દ્વારા એક ટીમ બનાવવામા આવ્‍યા બાદમા કિડનેપ થયેલ છોકરીઓના મોબાઈલને ટ્રેસ કરવામા આવતા અને આ છોકરીઓના સોશિયલ મીડિયા કોન્‍ટેક્‍ટ તપાસ કરતા તેઓનું લોકેશન નોઈડા ઉત્તરપ્રદેશનું જાણવા મળ્‍યુ હતું.
દાનહ પોલીસની ટીમ તાત્‍કાલિક સ્‍થાનિક પોલીસની મદદ દ્વારા ત્રણે છોકરીઓને નોઇડાથી શોધી લાવી એમના વાલીઓને સોપવામા આવી હતી. દાનહ પોલીસ દ્વારા સગીર છોકરીઓને પૂછપરછ કરતા તેઓએ જણાવ્‍યું હતું કે અમે ત્રણે ટ્રેન મારફતે નોઈડા સુધી પહોંચી ગયા હતા. છોકરીઓસોશિયલ મીડિયાના ચક્કરમાં આવા કદમ ઉઠાવ્‍યા હોવાનું બહાર આવ્‍યુ છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મુંબઈ આઈઆઈટીના સહયોગથી પાવર સિસ્‍ટમ, પાવર સપ્‍લાય અને પાવર સિસ્‍ટમ ઘટકોના માળખા ઉપર યોજાયેલ વ્‍યાખ્‍યાન

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

દાનહ ભાજપની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના એકાદ-બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર વેલકમ મોદીજી ટ્રેન્‍ડ કરવા થયેલી ચર્ચા- વિચારણાં

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્‍વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્‍ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ

vartmanpravah

વાપીના ભડકમોરામાં શિવસેના કાર્યાલયમાં રક્‍તદાન શિબિર અને નિઃશુલ્‍ક ચેકીંગ કેમ્‍પ યોજાયો: પ્રતિવર્ષની જેમ બાળા સાહેબના જન્‍મ દિન નિમિત્તે શિવસેના દ્વારા કરાયેલુ આયોજન

vartmanpravah

પદ્મશ્રી પ્રભાબેન શાહે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment