March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

ઈતિહાસ જોતા ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સંગઠન તરીકે 1969 માં સ્‍થાપના કરવામાં આવી હતી : એસોસિયન તરીકે કાર્યરત બાદચેરિટીમાં ટ્રસ્‍ટ તરીકે રજીસ્‍ટ્રેશન થયેલ છે : હવે અંડર સેક્‍સન 25 ઓફ ધ કંપની એકટ 1956 મુજબ કાર્યરત છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનુ નામ ઉમરગામના ઉદ્યોગપતિઓના સંગઠન માટે ખૂબ જ મહત્‍વનું છે. ઔદ્યોગિક સંગઠનોના સંચાલકો અને વિચારધારા તેમજ ઉદ્દેશ બદલાવા છતાં સંગઠનનું નામ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન તરીકે યથાવત રાખતા આ ગુંચવાયેલું કોકડું અભ્‍યાસનો વિષય બની જવા પામ્‍યો છે.
ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનને ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન દ્વારા ત્રણ પ્‍લોટ કરવામાં આવેલા છે. 1.પ્‍લોટ/શેડ નંબર ઘ્‍1/19 જેનું ક્ષેત્રફળ 747 સ્‍ક્‍વેર મીટર છે અને તારીખ 21/6/1976 ના રોજ ધ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝના નામથી એલોટમેન્‍ટ કરવામાં આવેલ છે 2.પ્‍લોટ નંબર/શેડ નંબર 258/ની અને પ્‍લોટ નંબર 35/બી/પી જેનું ક્ષેત્રફળ 5933.06 સ્‍ક્‍વેર મીટર છે અને તારીખ 8/9/1987 ના રોજ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના નામથી એલોટમેન્‍ટ કરવામાં આવેલ છે.
ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો વહીવટ હાલમાં અંડર સેક્‍સન 25 ઓફ ધ કંપની એક્‍ટ 1956 મુજબ મેમોરેન્‍ડમ ઓફ એસોસિએશન ઓફ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન મુજબ ચાલી રહ્યો છે. ટ્રસ્‍ટ એક્‍ટ મુજબ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરેલા બાયલોઝ મુજબચાલતો હતો. ટ્રસ્‍ટ પહેલા વહીવટ કેવી રીતે અને કોણે ચલાવેલો એ ખબર નથી. હાલમાં ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશની કચેરી પ્‍લોટ નંબર ણૂ1 માં કાર્યરત છે. આમ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો વહીવટ શંકાના દાયરામાં આવી રહ્યો છે. ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન ફાળવેલા પ્‍લોટો ઉપર માલિકોની ટ્રાન્‍સફર પ્રક્રિયા શકય નથી તો આ પ્‍લોટો કોની માલિકીના, કોના કબજામાં અને જો ભાડે આપેલ હોય તો ભાડું વસૂલ કરનાર કોણ એ તપાસનો વિષય સામે આવી રહ્યો છે. આ ઉપરાંત ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા નોટિફાઈડ વિસ્‍તારમાં ગેરકાયદેસર કાર્યરત લારી ગલ્લા પાસેથી બિલ આપી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. આ અગાઉ ટ્રસ્‍ટ મુજબ ચાલતા વહીવટના સમયે ડોનેશનની રસીદ આપી ઉઘરાવવામાં આવતી હતી. આ ઉઘરાણી કાયદાકીય દ્રષ્ટિએ ખંડણીથી કમ નથી છતાં પણ તંત્રનો મૌન રહી પરોક્ષ સહયોગ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આમ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચાલતો તાજેતરનો વહીવટ એમની બેલેન્‍સશીટ જોયા બાદ ચોંકાવનારા કેટલા હાડપિંજર બહાર આવશે એ જોવું મુશ્‍કેલ છે.

Related posts

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

vartmanpravah

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

vartmanpravah

Leave a Comment