Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

ઈતિહાસ જોતા ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સંગઠન તરીકે 1969 માં સ્‍થાપના કરવામાં આવી હતી : એસોસિયન તરીકે કાર્યરત બાદચેરિટીમાં ટ્રસ્‍ટ તરીકે રજીસ્‍ટ્રેશન થયેલ છે : હવે અંડર સેક્‍સન 25 ઓફ ધ કંપની એકટ 1956 મુજબ કાર્યરત છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનુ નામ ઉમરગામના ઉદ્યોગપતિઓના સંગઠન માટે ખૂબ જ મહત્‍વનું છે. ઔદ્યોગિક સંગઠનોના સંચાલકો અને વિચારધારા તેમજ ઉદ્દેશ બદલાવા છતાં સંગઠનનું નામ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન તરીકે યથાવત રાખતા આ ગુંચવાયેલું કોકડું અભ્‍યાસનો વિષય બની જવા પામ્‍યો છે.
ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનને ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન દ્વારા ત્રણ પ્‍લોટ કરવામાં આવેલા છે. 1.પ્‍લોટ/શેડ નંબર ઘ્‍1/19 જેનું ક્ષેત્રફળ 747 સ્‍ક્‍વેર મીટર છે અને તારીખ 21/6/1976 ના રોજ ધ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝના નામથી એલોટમેન્‍ટ કરવામાં આવેલ છે 2.પ્‍લોટ નંબર/શેડ નંબર 258/ની અને પ્‍લોટ નંબર 35/બી/પી જેનું ક્ષેત્રફળ 5933.06 સ્‍ક્‍વેર મીટર છે અને તારીખ 8/9/1987 ના રોજ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના નામથી એલોટમેન્‍ટ કરવામાં આવેલ છે.
ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો વહીવટ હાલમાં અંડર સેક્‍સન 25 ઓફ ધ કંપની એક્‍ટ 1956 મુજબ મેમોરેન્‍ડમ ઓફ એસોસિએશન ઓફ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન મુજબ ચાલી રહ્યો છે. ટ્રસ્‍ટ એક્‍ટ મુજબ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરેલા બાયલોઝ મુજબચાલતો હતો. ટ્રસ્‍ટ પહેલા વહીવટ કેવી રીતે અને કોણે ચલાવેલો એ ખબર નથી. હાલમાં ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશની કચેરી પ્‍લોટ નંબર ણૂ1 માં કાર્યરત છે. આમ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો વહીવટ શંકાના દાયરામાં આવી રહ્યો છે. ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન ફાળવેલા પ્‍લોટો ઉપર માલિકોની ટ્રાન્‍સફર પ્રક્રિયા શકય નથી તો આ પ્‍લોટો કોની માલિકીના, કોના કબજામાં અને જો ભાડે આપેલ હોય તો ભાડું વસૂલ કરનાર કોણ એ તપાસનો વિષય સામે આવી રહ્યો છે. આ ઉપરાંત ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા નોટિફાઈડ વિસ્‍તારમાં ગેરકાયદેસર કાર્યરત લારી ગલ્લા પાસેથી બિલ આપી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. આ અગાઉ ટ્રસ્‍ટ મુજબ ચાલતા વહીવટના સમયે ડોનેશનની રસીદ આપી ઉઘરાવવામાં આવતી હતી. આ ઉઘરાણી કાયદાકીય દ્રષ્ટિએ ખંડણીથી કમ નથી છતાં પણ તંત્રનો મૌન રહી પરોક્ષ સહયોગ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. આમ ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચાલતો તાજેતરનો વહીવટ એમની બેલેન્‍સશીટ જોયા બાદ ચોંકાવનારા કેટલા હાડપિંજર બહાર આવશે એ જોવું મુશ્‍કેલ છે.

Related posts

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

vartmanpravah

નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં આદર્શ મતદાન મથક ઉભું કરતું ચૂંટણી તંત્ર

vartmanpravah

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

મેન્‍ટલ ફ્રી સોસાયટી બનાવવી હોય તો રિયાલિસ્‍ટિક રહેવું જરૂરીઃ દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોસલે

vartmanpravah

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધા યોજાઈ: 175 વાલીઓએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment