July 24, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ બાર એસોસિએશન દમણ દ્વારા 14મી નવેમ્‍બરના રોજ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ નાની દમણમાં કાનૂની જાગરૂકતા અને સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શનમાં અખિલ ભારતીય જાગરૂકતા અને આંતરરાષ્‍ટ્રીય અભિયાનના એક ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
આ અવસરે મુખ્‍ય મહેમાન તરીકે બોમ્‍બે હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ શ્રી એન.જે.જમાદાર ઉપસ્‍થિત રહેશે. તેમની સાથે પ્રિન્‍સિપલ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ તથા એડહોક મેમ્‍બર સેક્રેટરી રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દમણ-દીવના શ્રી પી.કે.શર્મા, દમણના જિલ્લા કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવત, દમણ એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી મારિયો લોપેસ ઉપસ્‍થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિવિલ જજ સિનિયર ડિવીઝન અને સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી-દમણના કો-મેમ્‍બર સેક્રેટરી શ્રી એ.પી.કોકાટે યજમાન તરીકેની ભૂમિકા ભજવશે.

Related posts

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ભાજપ દ્વારા નામો જાહેર કરતા પ્રમુખ-ઉપ પ્રમુખ માટે ટીડીઓ સમક્ષ ઉમેદવારી પત્રકો રજૂ કરાયા

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

Leave a Comment