March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ બાર એસોસિએશન દમણ દ્વારા 14મી નવેમ્‍બરના રોજ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ નાની દમણમાં કાનૂની જાગરૂકતા અને સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શનમાં અખિલ ભારતીય જાગરૂકતા અને આંતરરાષ્‍ટ્રીય અભિયાનના એક ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
આ અવસરે મુખ્‍ય મહેમાન તરીકે બોમ્‍બે હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ શ્રી એન.જે.જમાદાર ઉપસ્‍થિત રહેશે. તેમની સાથે પ્રિન્‍સિપલ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ તથા એડહોક મેમ્‍બર સેક્રેટરી રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દમણ-દીવના શ્રી પી.કે.શર્મા, દમણના જિલ્લા કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવત, દમણ એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી મારિયો લોપેસ ઉપસ્‍થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિવિલ જજ સિનિયર ડિવીઝન અને સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી-દમણના કો-મેમ્‍બર સેક્રેટરી શ્રી એ.પી.કોકાટે યજમાન તરીકેની ભૂમિકા ભજવશે.

Related posts

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

વિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

Leave a Comment