Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.25
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક જનજાગરણ અભિયાનની પદયાત્રા યોજાઈ હતી. જે પદયાત્રા ચીખલી સર્કિટ હાઉસથી નીકળી ચીખલી ડેપો ખાતે પોહચી હતી. જ્‍યાં આ પદયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં ‘ગાંધી લડે થે ગોરો સે હમ લદેગે ચોરો શે’ મોંઘવારી ઓછી કરો, પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ રાંધણગેસના ભાવો ઓછા કરો, સરકાર તેરી તાનશાહી નહિ ચલગી નહિ ચલગી જેવા સૂત્રોચ્‍ચાર પણ કરાયા હતા. જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી શ્રી સલીમભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા શ્રી ભીખુભાઈ ગરાસિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ ઉર્ફે શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, વાંસદા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીઅમિશભાઈ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

દાનહના રખોલી ખાતે આવેલ હોટલ મધુબનમાં સેંકડો યુવાનો સાથે ભાજપની બેઠક: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 25મી એપ્રિલની દાનહ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે કરેલી અપીલ

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment