Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.25
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક જનજાગરણ અભિયાનની પદયાત્રા યોજાઈ હતી. જે પદયાત્રા ચીખલી સર્કિટ હાઉસથી નીકળી ચીખલી ડેપો ખાતે પોહચી હતી. જ્‍યાં આ પદયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં ‘ગાંધી લડે થે ગોરો સે હમ લદેગે ચોરો શે’ મોંઘવારી ઓછી કરો, પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ રાંધણગેસના ભાવો ઓછા કરો, સરકાર તેરી તાનશાહી નહિ ચલગી નહિ ચલગી જેવા સૂત્રોચ્‍ચાર પણ કરાયા હતા. જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી શ્રી સલીમભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા શ્રી ભીખુભાઈ ગરાસિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ ઉર્ફે શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, વાંસદા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીઅમિશભાઈ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની ઔર એક સિદ્ધિઃ ટી.બી.ઉન્‍મૂલનની દિશામાં કરેલી મહત્‍વપૂર્ણ પ્રગતિ સર્વશ્રેષ્‍ઠ કાર્યો માટે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

Leave a Comment