Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.25
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક જનજાગરણ અભિયાનની પદયાત્રા યોજાઈ હતી. જે પદયાત્રા ચીખલી સર્કિટ હાઉસથી નીકળી ચીખલી ડેપો ખાતે પોહચી હતી. જ્‍યાં આ પદયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં ‘ગાંધી લડે થે ગોરો સે હમ લદેગે ચોરો શે’ મોંઘવારી ઓછી કરો, પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ રાંધણગેસના ભાવો ઓછા કરો, સરકાર તેરી તાનશાહી નહિ ચલગી નહિ ચલગી જેવા સૂત્રોચ્‍ચાર પણ કરાયા હતા. જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી શ્રી સલીમભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા શ્રી ભીખુભાઈ ગરાસિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ ઉર્ફે શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, વાંસદા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીઅમિશભાઈ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment