July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.29
ચીખલી તાલુકાના માંડવખડક ગામે આઇટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા અગાસી આઇટીઆઈમાં સહ વિદ્યાર્થીઓના એન્‍ટીજન ટેસ્‍ટ કરી તકેદારીના પગલાં ભરવામાં આવ્‍યા હતા. જોકે તમામ 22-જેટલા વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત થઈ હતી. પરંતુ હંગામી ધોરણે વર્ગ બંધ કરી દેવાયો હતો.
માંડવખડકના તાડપાડા વિસ્‍તારની રહીશ 17-વર્ષીય વિદ્યાર્થીની કે જે અગાસી આઇટીઆઇમાં કોમ્‍યુટરના વિષયમાં અભ્‍યાસ કરે છે. જેને શરદી-ઉધરસની તકલીફ બાદ ટેસ્‍ટ કરવામાં આવતા કોરોનાનો રીપોર્ટ પોઝેટીવ આવતા તેણીને હોમ આઇસોલેશન કરાવી ઘરના ત્રણ વ્‍યક્‍તિઓને હોમ કોરોન્‍ટાઇન કરવામાં આવ્‍યા હતા.
બીજી અગાસી આઇટીઆઇમાં સહ વિદ્યાર્થીઓ સ્‍ટાફ સહિત 22-જેટલા એન્‍ટીજન,આરટીપીસીઆર ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.આ ઉપરાંત ઘરના વ્‍યક્‍તિઓના પણ ટેસ્‍ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત થવા પામી હતી. જોકે આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અગાસી આઇટીઆઇમાં કોમ્‍પ્‍યુટરનો વર્ગ બંધ કરાવી દેવામાં આવ્‍યો હતો.અગાસી આઇટીઆઇમાં વિદ્યાર્થીની પોઝેટીવ આવી હોવાની વાત વાયુવેગે સોશિયલ મીડિયામાં પ્રસરતા આઇટીઆઈમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હોવાનું જાણવા મળ્‍યું હતું.
માંડવખડક પીએચસીના મેડિકલ ઓફિસર ડો.ચંદ્રકાંતભાઈના જણાવ્‍યાનુસાર અગાસી આઇટીઆઈમાં માંડવખડકની વિદ્યાર્થીની પોઝેટીવ આવતા વિદ્યાર્થીઓના રિપોર્ટ કરવામાં આવ્‍યા હતા. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્‍યા હતા. અગાસી આઇટીઆઈના આચાર્ય શ્રી અલ્‍પેશભાઈના જણાવ્‍યાનુસાર માંડવખડકની વિદ્યાર્થીની પોઝેટીવ આવતા કોમ્‍પ્‍યુટરનો વર્ગ તકેદારીના ભાગરૂપે એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્‍યો છે અને આરોગ્‍ય વિભાગ દ્વારા અન્‍ય વિદ્યાર્થીઓ તથા સ્‍ટાફના પણ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે.

Related posts

સરીગામ કેમિકલ ઝોનમાં કેમિકલ યુક્‍ત વહેતા પાણીના જીપીસીબીએ એકત્રિત કરેલા નમૂના : ફેરેસ સલ્‍ફેટ બનાવતી કંપની શંકાના દાયરામાં

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment