(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજના સ્ટાફ માટે રોજબરોજના શૈક્ષણિક કાર્ય અને દૈનિક કાર્યની વ્યવસ્તતામાં કેવી રીતે આનંદિત જીવન વ્યતિત કરવા માટે જ્ઞાનપૂર્ણ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિષ્ઠિત ‘‘મનસ્વિન એજ્યુકેશન” ના વિલાસ ઉપાધ્યાય અને રચના ઉપાધ્યાયની જોડી દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. વક્તાઓએ સ્ટ્રેસ મેનેજમેન્ટ, શાંતિપૂર્ણ જીવન જીવવાની ચાવીઓ, ટીમ નિર્માણ અને સુમેળપૂર્વક સાથે કામ કરવાની કળા વિશે તેમના પ્રવચનમાં ચર્ચા કરી જીવનમાં દરેકે પોતાના બાળપણને જીવિત રાખવાનું છે. જેમના જીવનમાંથી બાળપણ ગયુ તેઓ નિરાશા સાથે જુવાનીમાં પણ ઘડપણનું જીવનવિતાવે છે. તેઓએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જટિલ સિદ્ધાંતોને સરળતાથી સમજવ્યા હતા. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે સ્ટાફના સભ્યોને આવા અમૂલ્ય પાઠો આપવા બદલ મનસ્વિન એજ્યુકેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.