(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 29
રાનકુવા ગામે ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્થાનિકોમાં ગભરાહતનો માહોલ સર્જાવા પામ્યો હતો. રાનકુવા,કુકેરી તેમજ ફડવેલ ગામે છેલ્લા એક સપ્તાહમાં દીપડાએ 5થી વધુ મૂંગા પશુઓના શિકાર કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના રાનકુવા ગામના બે દિવસ પૂર્વે જ દીપડાએ ત્રણ જેટલી બકરીનો શિકાર કર્યો હતો. ત્યારે તાલુકાના કુકેરી ગામના મોચી ફળીયા ખાતે રહેતા શ્રી શંકરભાઈ મંગુભાઈ પટેલના ઘરની પાસે બાંધેલ અઢી વર્ષીય બકરાનું વન્યપ્રાણી દીપડાએ મારણ કરતા બનાવની જાણ ચીખલી વન વિભાગને કરાતા આર.એફ.ઓ-વાઘેલા સહિત વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારીની ટીમ ઘટના સ્થળે જઈ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.