September 2, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ ન.પા. સી.ઓ. મોહિત મિશ્રા સમક્ષ સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમ લાગુ કરવા દાનહ સિવિલ સોસાયટીની રજૂઆત

દાનહ સિવિલ સોસાયટીના પ્રમુખ એડવોકેટ સની ભિમરા અને તેમની ટીમે સુંદર રસ્‍તા, સી.સી.ટી.વી. સર્વેલન્‍સ,ડેઝિગ્નેટેડ પાર્કિંગ, સાયકલ ટ્રેક, ઓડ-ઇવન-પી-1,પી-ર પાર્કિંગ, રખડતા ઢોરોની સમસ્‍યાના ઉકેલની બાબતે પણ ચીફ ઓફિસર મોહિત મિશ્રા સાથે કરેલી ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
આજે દાનહ સિવિલ સોસાયટીના પ્રમુખ શ્રી સની ભિમરાના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી મોહિત મિશ્રાની મુલાકાત લીધી હતી અને અસરકારક ટ્રાફિક મેનેજમેન્‍ટ માટે પહેલ કરવા પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો. 
દાનહ સિવિલ સોસાયટીના પ્રમુખ શ્રી સની ભિમરાએ 2014માં ટ્રાફિક સમસ્‍યાના મુદ્દે યોજવામાં આવેલ રાઉન્‍ડ ટેબલ કોન્‍ફરન્‍સનો હવાલો આપી વર્તમાન સમયના પડકારો અને તે સમયે કરવામાં આવેલી ભલામણોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે સેલવાસ ખાતે હાલના સમયમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમની આવશ્‍યકતા હોવા ઉપરાંત સારા રસ્‍તા, ડેઝિગ્નેટેડ પાર્કિંગ, સાયકલ ટ્રેક, ઓડ-ઇવન પી-1,પી-ર પાર્કિંગ, રખડતા ઢોરોની સમસ્‍યાના ઉકેલની બાબતે પણ ચર્ચા-વિચારણા કરી હતી. 
સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી મોહિત મિશ્રાએ આશ્વાસન આપતા જણાવ્‍યું હતું કે, સેલવાસ સ્‍માર્ટ સીટીએ વિવિધ પ્રોજેક્‍ટોને અગ્રતાના ક્રમે સામેલ કરેલ છે અને દાનહ સિવિલ સોસાયટી દ્વારા સ્‍માર્ટ સીટી સેલવાસ માટે રજૂ કરાયેલ અસરકારક ટ્રાફિકમેનેજમેન્‍ટના પ્રસ્‍તાવની પહેલ કરવા વિશ્વાસ પણ વ્‍યકત કર્યો હતો. 
દાનહ સિવિલ સોસાયટીના પ્રમુખ શ્રી સની ભિમરાની સાથે એડવોકેટ શ્રી શૈલેષ માહલા, શ્રી એ.ડીસીલ્‍વા, શ્રી નિતેશ કુમાર સિંઘ વગેરે જોડાયા હતા.

Related posts

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

દમણ પોલીસને મળેલી સફળતાઃ ભેંસલોર સ્‍થિત બંધ પીસીએલ કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah

Leave a Comment