બે દિવસીય ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.01: પૂ.જલારામ બાપાની 223મી જન્મ જયંતિ નિમિત્તે ધરમપુર તાલુકાના ખટાણા ગવળી ફળિયાના જલારામ મંદિર ખાતે 50મી સુવર્ણ જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
50મી સુવર્ણ જયંતિના ઉજવણી અવસરે તા.30/10/2022ના રોજ શ્રી સત્યનારાયણ ભગવાનની એકાવન યજમાનો દ્વારાસામૂહિક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તા.31/10/2022 ના રોજ જલારામ જયંતિનાદિને શ્રી સીતારામ યજ્ઞનું આયોજન ખેરગામના આચાર્ય શ્રી કશ્યપભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બે દિવસના ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉપસ્થિત રહી, મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ અવસરે ખટાણા જલારામ મંડળના પ્રમુખ શ્રી નવસુભાઇ ગવળી, મંત્રીશ્રી ખુશાલભાઇ ગવળી, શ્રી મનુભાઇ ગવળી, શ્રી વજીરભાઇ માહલા, શ્રી છનાભાઇ ગવળી, લક્ષ્મણભાઇ ગાંવિત તેમજ જલારામ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.