April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

બે દિવસીય ભવ્‍ય કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.01: પૂ.જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ નિમિત્તે ધરમપુર તાલુકાના ખટાણા ગવળી ફળિયાના જલારામ મંદિર ખાતે 50મી સુવર્ણ જયંતિ મહોત્‍સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
50મી સુવર્ણ જયંતિના ઉજવણી અવસરે તા.30/10/2022ના રોજ શ્રી સત્‍યનારાયણ ભગવાનની એકાવન યજમાનો દ્વારાસામૂહિક કથાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અને તા.31/10/2022 ના રોજ જલારામ જયંતિનાદિને શ્રી સીતારામ યજ્ઞનું આયોજન ખેરગામના આચાર્ય શ્રી કશ્‍યપભાઇ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ બે દિવસના ભવ્‍ય કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ભાવિક ભકતો ઉપસ્‍થિત રહી, મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ અવસરે ખટાણા જલારામ મંડળના પ્રમુખ શ્રી નવસુભાઇ ગવળી, મંત્રીશ્રી ખુશાલભાઇ ગવળી, શ્રી મનુભાઇ ગવળી, શ્રી વજીરભાઇ માહલા, શ્રી છનાભાઇ ગવળી, લક્ષ્મણભાઇ ગાંવિત તેમજ જલારામ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

vartmanpravah

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

નમો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિતેશ કન્‍હૈયા ઝાએ સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

Leave a Comment