April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 2030 સુધી ભારતમાં ઉત્‍પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્‍પાદન ગ્રીન એનર્જીથી કરવા કરેલા આહ્‌વાન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સોલર એનર્જીને પ્રોત્‍સાહન આપવા કરેલા અનુરોધનું પાડેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 2030 સુધી ભારતમાં ઉત્‍પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્‍પાદન ગ્રીન એનર્જીથી કરવા તાજેતરમાં જલવાયુ સંમેલનમાં વિશ્વને કરેલા આહ્‌વાનના પગલે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલર પેનલ દ્વારા સૌરઊર્જાના ઉત્‍પાદનનો આરંભ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રીન એનર્જીને પ્રોત્‍સાહન આપવાહાકલ કરી હતી. જેના અનુસંધાનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલરરૂફ લગાવી સૌરઊર્જા ઉત્‍પાદનની શરૂઆત કરી છે.

Related posts

ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

vartmanpravah

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment