August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 2030 સુધી ભારતમાં ઉત્‍પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્‍પાદન ગ્રીન એનર્જીથી કરવા કરેલા આહ્‌વાન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સોલર એનર્જીને પ્રોત્‍સાહન આપવા કરેલા અનુરોધનું પાડેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 2030 સુધી ભારતમાં ઉત્‍પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્‍પાદન ગ્રીન એનર્જીથી કરવા તાજેતરમાં જલવાયુ સંમેલનમાં વિશ્વને કરેલા આહ્‌વાનના પગલે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલર પેનલ દ્વારા સૌરઊર્જાના ઉત્‍પાદનનો આરંભ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રીન એનર્જીને પ્રોત્‍સાહન આપવાહાકલ કરી હતી. જેના અનુસંધાનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલરરૂફ લગાવી સૌરઊર્જા ઉત્‍પાદનની શરૂઆત કરી છે.

Related posts

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

vartmanpravah

કપરાડા તાલુકામાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાના સક્રિય કાર્યાન્‍વય સંબંધે દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં ટાસ્‍ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

નાની દમણ કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં ડૂબી જતાં 15 વર્ષિય કિશોરનું મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

Leave a Comment