(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06
‘ભારત રત્ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના 66મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે ભામટી પ્રગતિ મંડળે પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
ભામટીના કોમ્યુનિટિ હોલ ખાતે સાંજે 6 વાગ્યે આયોજીત કાર્યક્રમમાં ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, દમણ જિલ્લામાહ્યાવંશી સમાજના કાર્યવાહક પ્રમુખ અને વિદ્યુત વિભાગના સહાયક એન્જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા, ભામટી મહિલા પાંખના અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન પરમાર, સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.