Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં દમણ જિલ્લાની આટિયાવાડને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં આટિયાવાડ સહિત દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે આટિયાવાડ ગ્રામ પંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ મુખ્‍ય અતિથિ તરીકે અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તથા બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’થી આટિયાવાડ સહિત તમામ ગ્રામ પંચાયતોના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે પોતાનો સંકલ્‍પ પ્રગટ કર્યો હતો. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશે સર કરેલી વિકાસની નવી નવી ઊંચાઈઓની પણ જાણકારી આપી હતી.
ગ્રામસભાના અધ્‍યક્ષતરીકે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે 2024-‘25ના નાણાંકીય વર્ષ માટે કરેલા આયોજનની રૂપરેખા પ્રગટ કરી હતી. તેમણે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન(જીપીડીપી)-2024-‘25માં લેવાનારા રોડ, ગટર, લાઈટ, પાણી સહિતના પ્રસ્‍તાવિત કામોને સમયસર પૂર્ણ કરવા જિલ્લા પંચાયત તંત્રના સહકારની પણ અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. તેમણે આટિયાવાડ ગ્રામ પંચાયતને વિકસિત અને મોડેલ ગ્રામ પંચાયત બનાવવા માટે પોતાના સામર્થ્‍ય અનુસાર વિકાસના કામોને આગળ ધપાવવાની પણ તત્‍પરતા દર્શાવી હતી.
આજની ગ્રામસભામાં મેડિકલ ઓફિસર ડો. પ્રતાપે આરોગ્‍ય સંબંધી વિવિધ જાણકારીઓ આપી હતી. કૃષિ વિસ્‍તરણ અધિકારી શ્રી અર્જુન પટેલે કૃષિ, બાગાયતી તથા એન.આર.એલ.એમ.ના શ્રી યોગેશભાઈએ ગ્રામીણ આજીવિકા મિશન અને બેંક ઓફ બરોડા તથા એચ.ડી.એફ.સી. બેંકના પ્રતિનિધિઓએ ખેડૂત વિકાસ પત્ર તથા કૃષિ ધિરાણના સંદર્ભમાં જાણકારી આપી હતી.
આ પ્રસંગે ટોરેન્‍ટ પાવરના શ્રી જોષી, સમાજ કલ્‍યાણ વિભાગથી શ્રી પંકજભાઈ, શ્રી મહાવીરભાઈ તથા આઈ.સી.ડી.એસ.થી સુશ્રી પ્રિયંકા, વન વિભાગથી શ્રી દિવ્‍યેશભાઈ, આઈ.ટી.આઈ.થી શ્રી પ્રજ્ઞેશભાઈ વગેરે તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

vartmanpravah

Leave a Comment