(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ,તા.૦૭
આગામી તા.૧૯મી ડિસેમ્બરે ઉમરગામ તાલુકામાં યોજનારી ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર આજરોજ ઉમેદવારીપત્રક પરત ખેંચવાના દિને સ્પષ્ટ થઇ જવા પામ્યું છે. ૩૨ ગ્રામ પંચાયતો માંથી ઍક કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર થવા પામી છે. આજરોજ ઉમેદવારી પત્રક પરત ખેંચવાના દિવસે સરપંચના હોદ્દા માટે ૨૮ ડમી ઉમેદવારે દાવેદારી પરત ખેંચી છે. હવે ૧૦૪ ઉમેદવારો સરપંચના હોદ્દા માટે પોતાનું નસીબ અજમાવશે, તેવી જ રીતે ગ્રામ પંચાયતના સભ્ય પદ માટે ૬૬ ઉમેદવારોઍ ઉમેદવારીપત્રક પરત ખેંચતા મેદાનમાં ૮૮૦ ઉમેદવારોઍ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે લોકશાહીના પર્વ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ મહોલ્લા અને ઘર-ઘર સુધી પહોંચે છે. આમ ઉમરગામ તાલુકામાં હાલમાં સ્થાનિકોમાં રાજકીય માહોલના રંગથી વાતાવરણ ઉત્સાહિત બની જવા પામ્યું છે. સરીગામ પંચાયતમાં પ્રથમ વખત ચાર પેનલ મેદાનમાં જાવા મળી રહી છે. રાજકીય પક્ષના બેનર વગર લડાતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની ફેશ વેલ્યુ મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી દીપકભાઈ મિસ્ત્રી, ડોક્ટર નીરવ શાહ, શ્રી રાકેશભાઈ રાય, અને શ્રી પંકજભાઈ રાય ઍમ ચાર આગેવાનોની આગેવાની હેઠળ ૨૦ સભ્યોની પેનલ સાથે સરીગામ પંચાયતનો ચૂંટણી જંગ ખેલાઈ રહ્ના છે.