February 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ,તા.૦૭
આગામી તા.૧૯મી ડિસેમ્બરે ઉમરગામ તાલુકામાં યોજનારી ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર આજરોજ ઉમેદવારીપત્રક પરત ખેંચવાના દિને સ્પષ્ટ થઇ જવા પામ્યું છે. ૩૨ ગ્રામ પંચાયતો માંથી ઍક કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર થવા પામી છે. આજરોજ ઉમેદવારી પત્રક પરત ખેંચવાના દિવસે સરપંચના હોદ્દા માટે ૨૮ ડમી ઉમેદવારે દાવેદારી પરત ખેંચી છે. હવે ૧૦૪ ઉમેદવારો સરપંચના હોદ્દા માટે પોતાનું નસીબ અજમાવશે, તેવી જ રીતે ગ્રામ પંચાયતના સભ્ય પદ માટે ૬૬ ઉમેદવારોઍ ઉમેદવારીપત્રક પરત ખેંચતા મેદાનમાં ૮૮૦ ઉમેદવારોઍ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે લોકશાહીના પર્વ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ મહોલ્લા અને ઘર-ઘર સુધી પહોંચે છે. આમ ઉમરગામ તાલુકામાં હાલમાં સ્થાનિકોમાં રાજકીય માહોલના રંગથી વાતાવરણ ઉત્સાહિત બની જવા પામ્યું છે. સરીગામ પંચાયતમાં પ્રથમ વખત ચાર પેનલ મેદાનમાં જાવા મળી રહી છે. રાજકીય પક્ષના બેનર વગર લડાતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની ફેશ વેલ્યુ મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી દીપકભાઈ મિસ્ત્રી, ડોક્ટર નીરવ શાહ, શ્રી રાકેશભાઈ રાય, અને શ્રી પંકજભાઈ રાય ઍમ ચાર આગેવાનોની આગેવાની હેઠળ ૨૦ સભ્યોની પેનલ સાથે સરીગામ પંચાયતનો ચૂંટણી જંગ ખેલાઈ રહ્ના છે.

Related posts

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

vartmanpravah

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment