April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: અતિ ભારે વરસાદ બાદ નવસારી જીલ્લામાં રોગચાળો ન ફેલાઇ માટે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. પુરઅસરગ્રસ્ત વિસ્તારમાં પુર બાદ વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યું, મેલેરીયા, ચિકનગુનીયા, પાણીજન્ય રોગો જેવા કે ઝાડા- ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ જેવા રોગો થવાની શકયતા વધુ રહેતી હોય છે.
જેને લઇ નવસારી જીલ્લાની આરોગ્ય વિભાગની ૨૧૩ જેટલી મેડીકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઘરે ઘરે શુધ્ધ ક્લોરીન યુક્ત પાણી મળી રહે એ માટે ક્લોરીન ગોળીઓનું વિતરણ તેમજ કેપ.ડોક્ષીસાઇકલીન નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બિમાર વ્યક્તિને સારવાર મળી રહે તે માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૧૧ મેડીકલ કેમ્પો કાર્યરત કરવામાં આવ્યાં છે. લોકોને શુધ્ધ ઉકાળેલું ક્લોરીન યુક્ત પાણી પીવું, વાસી ખોરાક ન ખાવાની તેમજ આરોગ્ય શિક્ષણ ટિમો દ્વારા આપવામાં આવે છે.

Related posts

દમણમાં ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ની નોંધણી શરૂઃ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયાએ પરંપરાગત કારીગરોને લાભ લેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

વાપીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

ચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment