Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: અતિ ભારે વરસાદ બાદ નવસારી જીલ્લામાં રોગચાળો ન ફેલાઇ માટે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. પુરઅસરગ્રસ્ત વિસ્તારમાં પુર બાદ વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યું, મેલેરીયા, ચિકનગુનીયા, પાણીજન્ય રોગો જેવા કે ઝાડા- ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ જેવા રોગો થવાની શકયતા વધુ રહેતી હોય છે.
જેને લઇ નવસારી જીલ્લાની આરોગ્ય વિભાગની ૨૧૩ જેટલી મેડીકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઘરે ઘરે શુધ્ધ ક્લોરીન યુક્ત પાણી મળી રહે એ માટે ક્લોરીન ગોળીઓનું વિતરણ તેમજ કેપ.ડોક્ષીસાઇકલીન નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બિમાર વ્યક્તિને સારવાર મળી રહે તે માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૧૧ મેડીકલ કેમ્પો કાર્યરત કરવામાં આવ્યાં છે. લોકોને શુધ્ધ ઉકાળેલું ક્લોરીન યુક્ત પાણી પીવું, વાસી ખોરાક ન ખાવાની તેમજ આરોગ્ય શિક્ષણ ટિમો દ્વારા આપવામાં આવે છે.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આહ્‌વાન કર્યું

vartmanpravah

ચોથું નોરતું- શ્રી ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્‍સવના ચારેય ઝોનમાં ખૈલાયાઓથી ગ્રાઉન્‍ડ ભરચક્ક

vartmanpravah

દાનહના ધોડિયા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્‍તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment