(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલીના આઈ.આર.બી. વિભાગમાં પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જવાન તેઓ તેમના ઘરે હતા તે દરમિયાન શ્રી કલ્પેશ પટેલને હૃદયરોગનો હૂમલો આવતા તેઓનું મોત થયું હતું. આઈ.આર.બી.ના સેકન્ડ બેચના અધિકારીનું મોત થતા પોલીસ અને આઈ.આર.બી. વિભાગ શોકમગ્ન થયું હતું. તેમને વિભાગ દ્વારા માન સન્માન સાથે પુષ્પાંજલિ અર્પિત કરીને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.
ખાનવેલ આર.ડી.સી. શ્રીમતી હિમાંશી મીણા, પોલીસ વિભાગના અધિકારીઓ, આઈ.આર.બી. વિભાગનાઅધિકારીઓ હાજર રહી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.