Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ,તા.૦૭
આગામી તા.૧૯મી ડિસેમ્બરે ઉમરગામ તાલુકામાં યોજનારી ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર આજરોજ ઉમેદવારીપત્રક પરત ખેંચવાના દિને સ્પષ્ટ થઇ જવા પામ્યું છે. ૩૨ ગ્રામ પંચાયતો માંથી ઍક કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર થવા પામી છે. આજરોજ ઉમેદવારી પત્રક પરત ખેંચવાના દિવસે સરપંચના હોદ્દા માટે ૨૮ ડમી ઉમેદવારે દાવેદારી પરત ખેંચી છે. હવે ૧૦૪ ઉમેદવારો સરપંચના હોદ્દા માટે પોતાનું નસીબ અજમાવશે, તેવી જ રીતે ગ્રામ પંચાયતના સભ્ય પદ માટે ૬૬ ઉમેદવારોઍ ઉમેદવારીપત્રક પરત ખેંચતા મેદાનમાં ૮૮૦ ઉમેદવારોઍ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે લોકશાહીના પર્વ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ મહોલ્લા અને ઘર-ઘર સુધી પહોંચે છે. આમ ઉમરગામ તાલુકામાં હાલમાં સ્થાનિકોમાં રાજકીય માહોલના રંગથી વાતાવરણ ઉત્સાહિત બની જવા પામ્યું છે. સરીગામ પંચાયતમાં પ્રથમ વખત ચાર પેનલ મેદાનમાં જાવા મળી રહી છે. રાજકીય પક્ષના બેનર વગર લડાતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની ફેશ વેલ્યુ મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી દીપકભાઈ મિસ્ત્રી, ડોક્ટર નીરવ શાહ, શ્રી રાકેશભાઈ રાય, અને શ્રી પંકજભાઈ રાય ઍમ ચાર આગેવાનોની આગેવાની હેઠળ ૨૦ સભ્યોની પેનલ સાથે સરીગામ પંચાયતનો ચૂંટણી જંગ ખેલાઈ રહ્ના છે.

Related posts

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લાના મહત્તમ રસ્‍તાઓની હાલત જર્જરીત : ચોમાસા પહેલા રસ્‍તાઓની હાલત સુધરશે?

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્‍કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah

તા.૨૨મીએ વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment