Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15
મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માત મૃત્‍યુ થતા આઈ.સી.આઈ.સી.આઈ લોમ્‍બાર્ડ ઈન્‍સ્‍યુરન્‍સ દ્વારા રૂા.7,78,560નો વીમો પાસ થતાં તેમના પરિવારને ચેક એનાયત કરવામાં આવ્‍યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવના પાવટી બંદરે ખાડીમાં પડી જતા મૃત્‍યુ પામેલ માછીમારના પરિવારને દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના હસ્‍તે ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો. દીવમાં મુખ્‍યત્‍વે માછીમારીનો ધંધો છે જેથી દીવમાં મોટાભાગના લોકો માછીમારી સાથે સંકળાયેલા છે. માછીમારી દરમિયાન ઘણા માછીમારો આકસ્‍મિક રીતે મૃત્‍યુ પામે છે.
ગત વર્ષે વણાંકબારાના વતની મનિષા રામજી સોમાની અન્નપૂર્ણા સાગર નામકની બોટમાંથી રમેશ નથુ બારીયા નામનો માછીમાર બોટમાંથી ખાડીમાં પડી જતા મૃત્‍યુ પામેલ, બોટના માલિક દ્વારા આઈ.સી. આઈ.સી.આઈ લોમ્‍બાર્ડમાં ઈન્‍સ્‍યુરન્‍સ કાઢાવવામાં આવ્‍યો હતો. જે ઈન્‍સ્‍યુરન્‍સ પાસ થતાં રમેશ નથુ બારીયાની પત્‍ની મંજુલા રમેશ તથા તેના બાળકોને 7,78,560નું વળતર પેટે ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો. આ ચેક મળતા મંજુલાબેન તથા તેમના પરિવારને સહાય મળી રહેશે.

Related posts

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

vartmanpravah

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah

પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલા રાજીનામાથી ખાલી પડેલ પદ માટે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી 23મી ફેબ્રુઆરીએ નિર્ધારીત : પ્રમુખ પદ માટે નવિનભાઈ પટેલ હોટ ફેવરીટ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

Leave a Comment