September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોની ચકાસણીમાં 5 એકમોને નોટીસ ફટકારાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્‍યાઓની ફરજીયાત જાણ), 1959 હેઠળની જાહેર ક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, માન્‍ય નિગમ-બોર્ડ, બેંક, ખાનગી ક્ષેત્રની કંપની, ફેકટરી, કોન્‍ટ્રાકટર, શૈક્ષણિક સંસ્‍થા, હોટલ, હોસ્‍પિટલ અને અન્‍ય તમામ એકમો જે કાયદા હેઠળ આવતા હોય તેવા કુલ 182 નોકરીદાતાઓને ત્‍યાં વર્ષ 2022-23ના સમયગાળા દરમ્‍યાન દફતર ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી કાયદાના ભંગ બદલ કુલ 41 નોકરીદાતાઓને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. જેઓના જવાબ સંતોષકારક ન મળતા કુલ 5 નોકરીદાતાઓને તાકીદપત્ર આપવામાં આવ્‍યા છે. કાયદાના ચુસ્‍ત પાલન માટે અને રોજગારવાંછુઓને રોજગારી મળી રહે માટે રોજગારકચેરી દ્વારા મોનિટરીંગ કરવામાં આવે છે એવું રોજગાર અધિકારી (જનરલ) પારૂલ એલ.પટેલે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી નાસિક જતી મહારાષ્‍ટ્ર એસ.ટી. બસનો અંભેટી પાસે અકસ્‍માત સર્જાયોઃ 35 મુસાફરોનો જીવ પડીકે બંધાયો

vartmanpravah

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

Leave a Comment