(વર્તમાન પ્રવાહ ન્યુજ નેટવર્ક)
દમણ, તા.15
દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ડીઆઈએ) એ સ્વર્ગસ્થ સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી છે. બુધવારે બપોરે 3:00 વાગ્યે ડીઆઈએ હોલમાં સીડીએસ સ્વ. બિપિન રાવતની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, ઉપપ્રમુખ શ્રી શરદ પુરોહિત, ખજાનચી શ્રી આર. કે. શુક્લા, શ્રી રમેશ કુન્દનાની, શ્રી રાજકુમાર લોઢા, શ્રી છોટુભાઈ પટેલ, શ્રી પી.કે.સિંઘ વગેરે જેવા ઉદ્યોગપતિઓ અને સભ્યોએ સ્વર્ગસ્થ સીડીએસ બિપિન રાવતની તસવીરને ફૂલહાર પહેરાવી, દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
ડીઆઈએના સભ્યોએ સ્વ. બિપિન રાવતને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ બાદ યોજાયેલી બેઠકમાં, ડીઆઈએ સભ્યોએ ઉદ્યોગના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલે ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો અને કામદારોના ફરજિયાત રસીકરણ ઉપર ભાર મૂકયો હતો.