October 13, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15
મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માત મૃત્‍યુ થતા આઈ.સી.આઈ.સી.આઈ લોમ્‍બાર્ડ ઈન્‍સ્‍યુરન્‍સ દ્વારા રૂા.7,78,560નો વીમો પાસ થતાં તેમના પરિવારને ચેક એનાયત કરવામાં આવ્‍યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવના પાવટી બંદરે ખાડીમાં પડી જતા મૃત્‍યુ પામેલ માછીમારના પરિવારને દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના હસ્‍તે ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો. દીવમાં મુખ્‍યત્‍વે માછીમારીનો ધંધો છે જેથી દીવમાં મોટાભાગના લોકો માછીમારી સાથે સંકળાયેલા છે. માછીમારી દરમિયાન ઘણા માછીમારો આકસ્‍મિક રીતે મૃત્‍યુ પામે છે.
ગત વર્ષે વણાંકબારાના વતની મનિષા રામજી સોમાની અન્નપૂર્ણા સાગર નામકની બોટમાંથી રમેશ નથુ બારીયા નામનો માછીમાર બોટમાંથી ખાડીમાં પડી જતા મૃત્‍યુ પામેલ, બોટના માલિક દ્વારા આઈ.સી. આઈ.સી.આઈ લોમ્‍બાર્ડમાં ઈન્‍સ્‍યુરન્‍સ કાઢાવવામાં આવ્‍યો હતો. જે ઈન્‍સ્‍યુરન્‍સ પાસ થતાં રમેશ નથુ બારીયાની પત્‍ની મંજુલા રમેશ તથા તેના બાળકોને 7,78,560નું વળતર પેટે ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો. આ ચેક મળતા મંજુલાબેન તથા તેમના પરિવારને સહાય મળી રહેશે.

Related posts

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

vartmanpravah

વલસાડના નનકવાડા ખાતેની શાળામાં આયોજીત સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધોડીપાડા અને માંડા શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્‍યા

vartmanpravah

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

vartmanpravah

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

Leave a Comment