March 29, 2024
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15
મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માત મૃત્‍યુ થતા આઈ.સી.આઈ.સી.આઈ લોમ્‍બાર્ડ ઈન્‍સ્‍યુરન્‍સ દ્વારા રૂા.7,78,560નો વીમો પાસ થતાં તેમના પરિવારને ચેક એનાયત કરવામાં આવ્‍યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવના પાવટી બંદરે ખાડીમાં પડી જતા મૃત્‍યુ પામેલ માછીમારના પરિવારને દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના હસ્‍તે ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો. દીવમાં મુખ્‍યત્‍વે માછીમારીનો ધંધો છે જેથી દીવમાં મોટાભાગના લોકો માછીમારી સાથે સંકળાયેલા છે. માછીમારી દરમિયાન ઘણા માછીમારો આકસ્‍મિક રીતે મૃત્‍યુ પામે છે.
ગત વર્ષે વણાંકબારાના વતની મનિષા રામજી સોમાની અન્નપૂર્ણા સાગર નામકની બોટમાંથી રમેશ નથુ બારીયા નામનો માછીમાર બોટમાંથી ખાડીમાં પડી જતા મૃત્‍યુ પામેલ, બોટના માલિક દ્વારા આઈ.સી. આઈ.સી.આઈ લોમ્‍બાર્ડમાં ઈન્‍સ્‍યુરન્‍સ કાઢાવવામાં આવ્‍યો હતો. જે ઈન્‍સ્‍યુરન્‍સ પાસ થતાં રમેશ નથુ બારીયાની પત્‍ની મંજુલા રમેશ તથા તેના બાળકોને 7,78,560નું વળતર પેટે ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો. આ ચેક મળતા મંજુલાબેન તથા તેમના પરિવારને સહાય મળી રહેશે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

દમણ પોલીસે માંડ 10 દિવસમાં ઘરફોડ ચોરીનો ઉકેલેલો ભેદઃ રૂા.2.50 લાખના ઘરેણાં સહિત રૂા.13800 રોકડાઅને એક મોબાઈલ બરામદ

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

vartmanpravah

vartmanpravah

સેલવાસ ન.પા. સી.ઓ. મોહિત મિશ્રા સમક્ષ સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમ લાગુ કરવા દાનહ સિવિલ સોસાયટીની રજૂઆત

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment