December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15
આજરોજ જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત ચાઈલ્‍ડલાઈન સર્વિસ દીવ દ્વારા એક્‍સિસ બેંક ખાતે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ચાઈલ્‍ડલાઈન સર્વિસની કાર્ય પ્રણાલી તથા 1098 કોલિંગ સેવા વિશે ઉપસ્‍થિતોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. જેમ કે કોઈ બાળક મુશ્‍કેલીમાં હોય? કોઈબાળક ખોવાય ગયેલ હોય? કોઈ બાળકને મેડિકલ મદદ જોઈતી હોય? કોઈ બાળક ઘર તરછોડી જતું રહ્યું હોય? કોઈ બાળક શિક્ષણથી વંચિત હોય કે કોઈ બાળક સાથે દુર્વ્‍યવહાર થતો હોય બાળમજૂરી અથવા હિંસા થતી હોય? કે પછી બાળકોના માતાપિતાને બાળકોના લાગતી મુંજવણ અંગે પ્રશ્ન હોય જેવી અન્‍ય તમામ બાબતો માટે 1098 ઉપર કોલ કરવાથી બાળકને મદદરૂપ થાય છે તથા બાળકોના હિતો, અધિકારો અને રક્ષણ માટે સમજૂતિ આપી હતી.
આ અવસરે એક્‍સિસ બેન્‍કના મેનેજર શ્રી હિતેશભાઈ તથા સહ સ્‍ટાફ ગણ ઉપસ્‍થિત રહ્યા હતી. સમસ્‍ત કાર્યક્રમનું આયોજન ચાઈલ્‍ડલાઈન, દીવ પ્રોજેકટ ડાયરેક્‍ટર આરીફભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચાઈલ્‍ડલાઈન દીવના કો-ઓર્ડીનેટર તનવીર એસ. ચાવડા, ટીમ મેમ્‍બર હર્ષાબેન શાહ અને વોલન્‍ટિયર અંજનાબેન યાસીન, જહેમત ઉઠાવી.

Related posts

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

Leave a Comment