Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

છેલ્લા 10 દિવસમાં તાવના 157 અને આંખ આવવાના 137 જેટલા દર્દીઓને સારવાર અપાઈ : સોમવારે તાવના 30 અને મંગળવારે આંખના 48 જેટલા દર્દીઓ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.25: ચીખલી તાલુકામાં વરસાદી માહોલ વચ્‍ચે શરદી, ખાંસી અને તાવ સહિતના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સાથે આંખ આવવાનાં કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તાલુકાની સબ ડિસ્‍ટ્રિકટ હોસ્‍પિટલમાં 15-જુલાઈથી 25-જુલાઈ સુધીના છેલ્લા 10-દિવસમાં કુલ-133 જેટલા દર્દીઓ નોંધાવા પામ્‍યા છે. જેમાં સૌથી વધારે 48-જેટલા દર્દીઓ મંગળવારના રોજ એક જ દિવસમાં આવ્‍યા હતા.
આ ઉપરાંત તાવના દર્દીઓની સંખ્‍યા પણ વધી રહી છે. આ છેલ્લા 10 દિવસમાં તાવના 157 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જો કે સોમવારના રોજ તાવના એક સાથે 30-જેટલા દર્દીઓ નોંધાયા હતા. આ ઉપરાંત ખાસીની ફરિયાદ 25 જેટલા દર્દીઓમાં આવી છે.
તાલુકાની સબ ડિસ્‍ટ્રિક હોસ્‍પિટલમાં આંખ આવવાના, તાવ, શરદી, ખાંસી સહિતના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત તાલુકાભરના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો પણ ઓપીડી વધી રહી છે. બીજી તરફ ખાનગી દવાખાનામાં પણઆવી સ્‍થિતિ જોવા મળી રહી છે. ત્‍યારે વરસાદ સાથે બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ લાગે છે.

Related posts

દમણ જિ.પં.ના નવનિર્વાચિત અધ્‍યક્ષનવિનભાઈ પટેલે પદભાર સંભાળતા જ આદર્શ ગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ રોડના કામની કરાવેલી શરૂઆત

vartmanpravah

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment