March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

લેબર વિભાગ નોકરીવાંચ્‍છુ અને નોકરીદાતા વચ્‍ચે પોર્ટલના માધ્‍યમથી સેતૂ બનશેઃ લેબર કમિશનર તપસ્‍યા રાઘવના દિશા-નિર્દેશથી લેબર વિભાગે શરૂ કરેલ પોર્ટલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આદેશથી દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને કમર કસી છે. દમણના જિલ્લા કલેક્‍ટર અને લેબર કમિશનર ડો. તપસ્‍યા રાઘવની રાહબરી હેઠળ દમણના સંયુક્‍ત લેબર કમિશનર અને ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ દમણ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મસલત કર્યા બાદ ઠોસ કાર્યવાહી શરૂ કરી છે. જેની કડીમાં લેબર વિભાગ દ્વારા નોકરીવાંચ્‍છુ અને નોકરીદાતા વચ્‍ચે સેતૂ બનવા એક પોર્ટલ ડેવલપ કરવામાં આવ્‍યું છે. જેમાં નોકરીવાંચ્‍છુ ઉમેદવાર પોતાની અરજી, જરૂરી માહિતી, શૈક્ષણિક તથા અન્‍ય લાયકાત વગેરે દમણના લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગ દ્વારા દર્શાવેલ લીંક https://www.labourdnhdd.in/job/login.php ઉપર મોકલવાનું રહેશે. ત્‍યારબાદ નોકરીદાતા ઉદ્યોગો, સંગઠનો, હોટલ, સંસ્‍થા વગેરે પોતાના એકમમાં કઈ પોસ્‍ટ માટે કેટલી જગ્‍યાખાલી છે તેની માહિતી ઉપલબ્‍ધ કરાવી પોતાને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈન્‍ટરવ્‍યુ માટે બોલાવી તેમની નિયુક્‍તિ કરવામાં આવે એ પ્રકારની વ્‍યવસ્‍થા દમણ જિલ્લા પ્રશાસને શરૂ કરી છે. તેથી દમણ જિલ્લાના ઉદ્યોગો, એકમોમાં નોકરી ઈચ્‍છતા બેરોજગાર યુવાનોને જિલ્લા પ્રશાસન દ્વારા આયોજીત થનારા રોજગાર મેળાનો લાભ લેવા એક અખબારી યાદીમાં દમણ જિલ્લાના સંયુક્‍ત લેબર કમિશનર શ્રી મોહિત મિશ્રાએ વિનંતી કરી છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર ખાડા મુદ્દે યુથ કોંગ્રેસે કરેલા ચક્કાજામ મામલે સાત સામે ફરિયાદ નોંધાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

vartmanpravah

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment