September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

લેબર વિભાગ નોકરીવાંચ્‍છુ અને નોકરીદાતા વચ્‍ચે પોર્ટલના માધ્‍યમથી સેતૂ બનશેઃ લેબર કમિશનર તપસ્‍યા રાઘવના દિશા-નિર્દેશથી લેબર વિભાગે શરૂ કરેલ પોર્ટલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આદેશથી દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને કમર કસી છે. દમણના જિલ્લા કલેક્‍ટર અને લેબર કમિશનર ડો. તપસ્‍યા રાઘવની રાહબરી હેઠળ દમણના સંયુક્‍ત લેબર કમિશનર અને ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ દમણ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મસલત કર્યા બાદ ઠોસ કાર્યવાહી શરૂ કરી છે. જેની કડીમાં લેબર વિભાગ દ્વારા નોકરીવાંચ્‍છુ અને નોકરીદાતા વચ્‍ચે સેતૂ બનવા એક પોર્ટલ ડેવલપ કરવામાં આવ્‍યું છે. જેમાં નોકરીવાંચ્‍છુ ઉમેદવાર પોતાની અરજી, જરૂરી માહિતી, શૈક્ષણિક તથા અન્‍ય લાયકાત વગેરે દમણના લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગ દ્વારા દર્શાવેલ લીંક https://www.labourdnhdd.in/job/login.php ઉપર મોકલવાનું રહેશે. ત્‍યારબાદ નોકરીદાતા ઉદ્યોગો, સંગઠનો, હોટલ, સંસ્‍થા વગેરે પોતાના એકમમાં કઈ પોસ્‍ટ માટે કેટલી જગ્‍યાખાલી છે તેની માહિતી ઉપલબ્‍ધ કરાવી પોતાને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈન્‍ટરવ્‍યુ માટે બોલાવી તેમની નિયુક્‍તિ કરવામાં આવે એ પ્રકારની વ્‍યવસ્‍થા દમણ જિલ્લા પ્રશાસને શરૂ કરી છે. તેથી દમણ જિલ્લાના ઉદ્યોગો, એકમોમાં નોકરી ઈચ્‍છતા બેરોજગાર યુવાનોને જિલ્લા પ્રશાસન દ્વારા આયોજીત થનારા રોજગાર મેળાનો લાભ લેવા એક અખબારી યાદીમાં દમણ જિલ્લાના સંયુક્‍ત લેબર કમિશનર શ્રી મોહિત મિશ્રાએ વિનંતી કરી છે.

Related posts

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

પારડીના ખેરલાવમાં લગ્નના પાંચ દિવસ પહેલા કન્‍યા સહિત માતા અને નાની બહેન રહસ્‍યમય રીતે લાપતા

vartmanpravah

દમણ રોડ શો દરમિયાન આયોજીત રંગારંગ કાર્યક્રમને મળેલા અભૂતપૂર્વ સમર્થનના ઉપલક્ષમાં દમણ પ્રવાસી રાજસ્‍થાની સમાજ દ્વારા યોજાયો આભાર પ્રસ્‍તાવ કાર્યક્રમ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

ચીખલી અને રાનકુવા વિસ્‍તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્‍ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

Leave a Comment