Vartman Pravah
Breaking Newsદમણ

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન હેઠળ આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ વિકલાંગ લોકો માટે બે દિવસીયમૂલ્‍યાંકન શિબિરનું આયોજન નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના પરિસરમાં સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગ તથા એલિમ્‍કોના સંયુંક્‍ત પ્રયાસોથી કરવામાં આવ્‍યું હતું.
આ બે દિવસીય શિબિરનું ઉદ્‌ઘાટન દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, સમાજ કલ્‍યાણ વિભાગના નાયબ સચિવ શ્રી જતીન ગોયલ, આરોગ્‍ય વિભાગના તબીબી અધિક્ષક શ્રી સંજય વર્મા, એલિમ્‍કોના પ્રતિનિધિ શ્રી દીપક ગુપ્તા અને સાર્વજનિક શાળાના વાઇસ પ્રિન્‍સીપાલ ડી.એન.મિષાીએ દીપ પ્રગટાવીને કર્યું હતું.
આ અવસરે સમાજ કલ્‍યાણ વિભાગના નાયબ સચિવ શ્રી જતીન ગોયલે જણાવ્‍યું હતું કે, આ બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ જેવી કે વયોશ્રી યોજના, સર્વ શિક્ષા અભિયાન, એડીઆઈપી વગેરેનો લાભ દમણના તમામ વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગો અને લોકો સુધી પહોંચાડી તેમને લાભાન્‍વિત કરવાનો છે. વિશેષમાં તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશના તમામ વરિષ્ઠ નાગરિકો માટે મફત સેવા 14567 વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો, વળદ્ધાશ્રમ, કાયદાકીય અને પેન્‍શન સહિત અનેક મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે કુલ-07 કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં ડીએનએચ-04,દીવ-01 અને દમણ-01માં યોજાયા છે અને આ વર્ષનો આ છેલ્લો કેમ્‍પ છે.
આ સંદર્ભમાં દમણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલે જણાવ્‍યું હતું કે, દમણની જનતાનો કેમ્‍પમા આવી સહયોગ આપવા બદલ આભાર માન્‍યો હતો.
આ કેમ્‍પમાં ઓડિયોલોજિસ્‍ટ, નેત્ર રોગ વિશેષજ્ઞ, ઓર્થોપેડિક સર્જન, ડેન્‍ટિસ્‍ટ, કાન/નાક/ગળાના ડોક્‍ટર, સાયકોલોજીસ્‍ટ અને મેડિકલ ઓફિસરની ટીમે વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનોની વિવિધ સમસ્‍યાઓના નિરાકરણ માટે સેવા આપી હતી. નિષ્‍ણાંતો દ્વારા તેમની જરૂરિયાત મુજબ મૂલ્‍યાંકન સામગ્રી સૂચવવામાં આવી હતી. જેમાં તેઓને વ્‍હીલચેર, ડીજીટલ હિયરીંગ એઇડ,ત્રિપાઈ ટેટ્રાપોડ, ચશ્‍મા, કોમોડ સાથે વ્‍હીલચેર સહિતની સુવિધા વિનામૂલ્‍યે આપવામાં આવશે.
આ સાથે કલેક્‍ટર અને પંચાયત વિભાગ દ્વારા સ્‍થળ પર જ રજીસ્‍ટ્રેશન કરાવીને એસેસરીઝ, આવકનું પ્રમાણપત્ર, પેન્‍શન, યુડી આઈડી કાર્ડની સુવિધા આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓએ સંપૂર્ણ સહકાર આપ્‍યો હતો.

Related posts

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વિકાસના વિશ્વાસ સાથે સંપન્ન થઈ આટિયાવાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા

vartmanpravah

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

Leave a Comment